ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સમર્પિત સેનાનીઓનું રૂણ અદા કરીએ
ગાંધીનગર, 7 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સમર્પિત સેનાનીઓનું રૂણ અદા કરવા અને ઉદાર હાથે સૈનિક કલ્યાણનિધિમાં ફાળો આપવા જાહેર અપીલ કરી છે.
મુખ્યમંત્રીએ ભારતીય સશસ્ત્રદળના ધ્વજદિન નિમિત્તે સૈન્યના, નૌસેનાના અને વાયુસેનાના બહાદુર જવાનો અને અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે આપણાં સશસ્ત્ર દળોની ફરજનિષ્ઠા અને કર્તવ્યભાવનાની સમગ્ર વિશ્વમાં આગવી પ્રતિષ્ઠા છે.
રાષ્ટ્રના સાર્વભૌમત્વની સલામતી અને એકતા માટે દેશની સીમાઓના સંરક્ષણની વિકટતમ સંજોગોમાં પણ ફરજો અદા કરી રહેલા ત્રણેય સેનાના અધિકારીઓ-જવાનોએ કુદરતી કે માનવસર્જીત આફતો દરમિયાન હંમેશા ખડે પગે રહી સ્થાનિક પ્રસાશનની મદદ કરી છે.













Click it and Unblock the Notifications
