"મોદીએ ગોધરાકાંડ બાદ હિન્દુઓને ભડકાવવા ષડયંત્ર રચ્યું હતું"

અહેસાન જાફરી આ રમખાણોમાં જ માર્યા ગયા હતા. આ આરોપ ઝાકિયાના વકીલ સંજય પરીખે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી જે ગણાત્રાની કોર્ટમાં મોદી વિરુદ્ધ દલીલબાજી કરતી વખતે મૂક્યા હતા. આ કોર્ટમાં ઝાકિયાની પીટિશન પર સુનાવણી ચાલી રહી છે. જેમાં તેમણે મોદી તથા અન્યોને ક્લીન ચીટ આપતા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના ક્લોઝર રિપોર્ટને પડકારવામાં આવ્યો છે. ઝાકિયાએ 2008માં સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે સીટની રચના કરી હતી.
પોતાની દલીલોમાં એડવોકેટ પરીખે જણાવ્યું કે ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ મોટી સંખ્યામાં ભેગા થયેલા કારસેવકોએ ગોધરા રેલવે સ્ટેશન ખાતે ઉશ્કેરણીજનક નારા લગાવતા હતા અને તેને કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. એમણે (મોદીએ) વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી જયદીપ પટેલને ફોન કરીને ગોધરા જવા કહ્યું હતું.
પટેલે વીએચપીના કાર્યકર્તાઓ અને હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. તેથી મોદીએ આરએસએસ તથા વીએચપીની મુસ્લિમ વિરુદ્ધની નકારાત્મક અને આક્રમક લાગણીને ભડકાવવામાં જયદીપ પટેલ સાથે જોડાયા હતા. ખરું કાવતરું પટેલને અપાયેલી તે સૂચના સાથે શરૂ થયું હતું. એ (મોદી) કાવતરાના મુખ્ય અમલબાજ છે.












Click it and Unblock the Notifications
