મોદીએ દેશની એકતા પર પ્રહાર કરી તેને જોખમમાં મૂકી : સોનિયા ગાંધી

પોતાના ભાષણાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો કે "ભાજપે વિશ્વાસઘાત કર્યો છે. ચૂંટણી સમયે સરહદના મુદ્દે જનતાને ભડકાવવી અયોગ્ય છે. આ સીધો દેશની એકતા પર પ્રહાર છે. કોંગ્રેસે દેશને આરટીઆઇ જેવો મહત્વનો કાયદો આપ્યો છે. કોંગ્રેસે
વિદ્યાર્થીઓ ખાસ કરીને છોકરીઓને સ્કોલરશિપની સુવિધા આપી. અમે ભારત નિર્માણ જેવી યોજનાઓ મૂકી. ગુજરાતને 50 ટકાથી વધારે ફંડ આપ્યું છે. ગુજરાત સરકાર પોતાના ખાસ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે ગરીબો અને જરૂરિયાતમંદોનો અધિકાર છીનવી લે છે."
"કેન્દ્ર ગુજરાતને દર વર્ષે 3128 મેગાવોટ વીજળી આપે છે. આ ઉપરાંત અન્ય વીજળી યોજનાઓ માટે ફંડ આપે છે. કૃષિ માટે વધારાની વીજળી પૂરી પાડવામાં આવે છે. આમ છતાં ગુજરાત સરકાર તેમાંથી 800 મેગાવોટ વીજળી વેચી કાઢે છે. આ ઉપરાંત અહીં ખેડૂતો પર વીજળી ચોરીનો આરોપ લગાવી સજા આપવામાં આવે છે."
"ગુજરાતમાં ખેડૂતો માટે યોજનાઓ આપી છે. તેમાં પણ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર આચરે છે. કેગના રિપોર્ટમાં પણ આ વાત સાબિત થઇ છે છતાં આરોપીઓને કશું જ કરતા નથી અને નિર્દોષોને સજા કરે છે. સરકાર સામે અવાજ ઉઠાવનારાઓ સામે લાઠીઓ વરસાવવામાં આવે છે. આમ છતાં સરકાર 50 લાખ મકાનના સપનાઓ બતાવી રહી છે."
"ગુજરાતનો પૂર્વ વિસ્તાર પછાત છે. અહીંના ભાઇ- બહેનોને અવગણ્યા છે. અહીં મિલો બંધ કરવામાં આવી છે જેના કારણે બેરોજગારી વધી છે. ગરીબો પ્રત્યે તેમની હમદર્દી આવી છે."
"આ પ્રદેશની વાસ્તવિક દશા કોઇનાથી છુપાયેલી નથી. આ માટે અન્ય કોઇ નહીં રાજ્ય સરકાર જવાબદાર છે. સરકારને બદલવાની જરૂર છે. કોંગ્રેસ ગુજરાતમાં ફરી સમૃધ્ધિ લાવી શકે છે. કોંગ્રેસ પોતાના વચનો પાળી બતાવે છે. કોંગ્રેસની સરકાર બનશે તો એકે એક વાયદા પૂરા કરીશું."
સોનિયા ભાષણના અંતમાં ગુજરાતીમાં બોલ્યા કે "મારી આપ સૌને વિનંતી છે કે પંજાનું બટન દબાવીને કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો."
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
