For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે અમારૂ ગુજરાત નહીં આપીયે: નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

Narendra Modi
ભુજ, 5 ઓક્ટોબર: વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાપર અને ભચાઉમાં જનમેદનીને સંબોધી હતી. મોદીએ ગુજરાતમના વિકાસ અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી નીચે જતી કોંગ્રેસની વાત કરી હતી.

મોદીએ જનમેદનીને પૂછ્યુ હતુ કે શું તેઓ ગુજરાતના વિકાસથી સંતુષ્ટ છે, લોકોએ તેમને હકારમાં જવાબ આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ જ્યોતિગ્રામ યોજનાની સફળતા અંગે વાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ક્યાય પણ 25 કિમી દૂર જાવ કોઇને કોઇ વિકાસકાર્ય ચાલતું હશે.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે તેઓ ગુજરાત વિશે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. અને મારા પ્રશ્નો સામે મૌન ધારણ કરે છે. જોકે ગુજરાતની પ્રજા તેમના મૌનનો જવાબ આપશે.

મોદીએ જણાવ્યું કે ગુજરાતના લોકોની દીશા વિકાસ તરફ છે માટે કોંગ્રેસને આટલા વર્ષ ગુજરાતથી દૂર રાખ્યું છે. તેઓ ઝાંસીની રાણીની જેમ બોલી ઉઠ્યા ' મેરી ઝાંસી નહીં દુંગી' એવી જ રીતે ગુજરાતના લોકોએ પણ કહેવાની જરૂર છે કે ‘અમારૂ ગુજરાત નહીં આપીયે'.

English summary
Narendra Modi declared just like Maharani Laxmi Bai of Jhansi, who affirmed ‘Meri Jhansi Nahi Doongi’ I will not give my Jhansi, the people of Gujarat need to take the determination ‘Humara Gujarat Nahi Denge’ we will not give our Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X