મોદીને તેની ઓકાત દેખાડી દેશુ, મોદીએ કહ્યુ હુ સામાન્ય પરીવારમાંથી આવુ છુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે સુરેન્દ્રનગર દુધરેજ ખાતે જંગી સભાને સંબોધન કરી હતી. આ સભામાં પીએમ મોદી કોંગ્રેસ અને રાહુલ ગાઁધીને પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત વિશે અપશબ્દો બલનરા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે સુરેન્દ્રનગર દુધરેજ ખાતે જંગી સભાને સંબોધન કરી હતી. આ સભામાં પીએમ મોદી કોંગ્રેસ અને રાહુલ ગાઁધીને પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત વિશે અપશબ્દો બલનરાને પણ સબક શીખવાડવા માટે જનતાને અપિલ કરી હતી. કોગ્રેસના લોકોએ મારા માટે અપશબ્દો બોલવામાં કઇ બાકી નથી રાખ્યુ અને હવે કે છે. મોદીને તેની ઓકાત દેખાડી દેશુ. હુ સામાન્ય પરીવારમાથી આવુ છુ. મારી કોઇ જ ઓકાત નથી. મોતનો સૌદાગર, નીચ વ્ય્કતી કહ્યો હતો.
મોદીએ કો્ગ્રેસ પર બોલતા જણાવ્યુ હતુ કે, જેમને જનતાએ પદ પરથી હટાવ્યા તે આજે પદ માટે પદયાત્રા કરી રહ્યા છે. અને જેમણે ગુજરાતને 40 વર્ષ સુધી તરસ્યુ રાખ્યુ કોર્ટમાં કચેરીમાં લઇ ગયા તેવા લોકોને સાથે ખંભે હાથ મુકીને ફોટા પડાવે છે ગુજરાતની જનતા આવા લોકોને ક્યારેય માફ નથી કરવાની. આ નર્મદાનો સૌથી વધારે લાભ સુરેન્દ્રનગરની જનતાને મળ્યો છે.
સુરેન્દ્રનગરમાં ટેન્કર રાજ ચાલતુ હતુ અને તે પણ જે ભાઇ ભત્રીજાના ટેન્કર હતા. અડધુ ટેન્કર ભરીને લાવતા હતા અને પુરા ટેન્કરના પૈસા લઇ જતા હતા. ઝાલાવાડના લોકો પાણીદાર છે. સુરેન્દ્રનગરના લોકોને પણ પાણીદાર બનાવ્યુ છે. અંહી લોકો પત્થર પર સોનુ પકવનારા લોકો છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, જ્યોતિગ્રામ યોજનામાં 24 કલાક વિજળી આપવામાં આવી છે ત્યારે વિરોધ પક્ષના લોોકોએ કહ્યુ હતુ કે, આ નરેન્દ્રભાઇ ક્યારે ચૂટણી નથી લડ્યા તેમની પાસે કોઇ અનુભાવ નથી તો કેવી રીતે શક્ય બને ? વડીલો છો તેમારો અનુભાવ છે. કામ કઠીન છે તે જાણુ છુ. પણ અઘરા કામ કરવા માટે તો મને બેસાડ્યો છે. અઘલા કામ કરુ છુ અને ભલુ પણ કરુ છુ. આજથી 10 વર્ષ પહેલા ગુજરાતમાં 24 કલાક વિજળી પહોચી અને ભારતમાં પણ ગામડામાં વિજળઈ પહોચાડી છે.