મોદીએ ગુજરાતના વિકાસ વિરોધીઓને લીધા આડેહાથ
વડાપ્રધાનના નિશાને પહ હતા તેમને આડેહાથ લેતા જણાવ્યુ હતુ કે, ગુજરાતનો વિકાસને બદનામ કરનારા સામે લાલ આંખ કરવાની જરૂર છે. ગુજરાત પ્રગતી કરે તો કેટલાક વાંક દેખના પેટમાં ઉંદરડા દોડે છે. વાંકદેખા લોકો વિકૃતમાનસિક્તા વાળા છે. ત
વડાપ્રધાનના નિશાને પહ હતા તેમને આડેહાથ લેતા જણાવ્યુ હતુ કે, ગુજરાતનો વિકાસને બદનામ કરનારા સામે લાલ આંખ કરવાની જરૂર છે. ગુજરાત પ્રગતી કરે તો કેટલાક વાંક દેખના પેટમાં ઉંદરડા દોડે છે. વાંકદેખા લોકો વિકૃતમાનસિક્તા વાળા છે. તેમનાથી ગુજરાતની પ્રગતિ જોઇ નથી શકાતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવનસા પ્રવાસે આવ્યા છે જેમના દ્વારા ગુજરાતને દિવાળીની ભેટ સ્વરૂપે જુનગાઢ, ગીર સોનાથ અને પોરબંદર જિલ્લાના વિકાસના કામોના ખાતમૂહુર્તની જાહેરાત કહી હતી. જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂ.૪૧૫૫.૧૭ કરોડના જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિકાસ કામોના ખાતમૂર્હુત અને જાહેરાત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિશાળ જાહેર સભા સંબોધતા જણાવ્યુ હતુ કે, સિંહ અને નરસિંહની ભૂમિ જૂનાગઢ પ્રવાસનની રાજધાની બનવાની ક્ષમતા ધરાવે છે. દેશ આખાના લોકોને આકર્ષવાની ગીરની ભૂમિમાં તાકાત છે. વડાપ્રધાન એ ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર જે રીતે
તેજ ગતિએ વિકાસના કામો કરી રહી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી ગુજરાતના દરિયા કાંઠાના વિકાસ સાથે માછીમારોના જીવનમાં બદલાવ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી અનેકવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં આવેલા વિકાસલક્ષી બદલાવ અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના છેવાડાના માનવીને મળેલા લાભ અંગે ફળદાયી ચિત્ર રજૂ કર્યું હતું.
સમગ્ર દરિયાકાંઠાના વિકાસ માટે દિવાળીના તહેવારો નજીક હોઇ અપરંપાર માનવ મહેરામણ-સંતો-મહંતો આશિર્વાદ અહીં મળી રહે છે. તે માટે સૌનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યના ગરીબ પરિવાર માટે બે બોટલ વિનામૂલ્યે આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.












Click it and Unblock the Notifications
