For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પોતાના જન્મદિવસે અંબાજીથી યાત્રા આરંભ કરશે

|
Google Oneindia Gujarati News

Narendra Modi
ગાંધીનગર, 13 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માતા અંબાના ઉપાસક છે. આથી તેઓ 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિન શક્તિપીઠ અંબાજી માતાની પૂજા અર્ચના કરીને ઉજવશે. તેઓ પૂજા કર્યા બાદ અંબાજીમાં સભા સંબોધીને વિવેકાનંદ વિકાસ રથયાત્રાનો પ્રારંભ કરશે. આ ખાસ દિવસે રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહેશે.

ભાજપના પ્રવકતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 'પોતાના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે સવારે રાજકોટ ખાતે યુવા સંમેલનમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી હેલીકોપ્ટર દ્વારા બપોરે ૧ વાગે અંબાજી પહોંચશે. માતાજીની પૂજા કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. આ પ્રસંગે નીતિન ગડકરી હાજર રહે એવી શક્યતા છે. તેઓ કેનેડાના પ્રવાસેથી સમયસર પરત આવી જશે તો અંબાજીમાં હાજરી આપશે.'

અંબાજીથી હડાદ, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર અને છેલ્લે વિજાપુર સભાને સંબોધશે. આ યાત્રા દરમિયાન ૩૨ સભા યોજવામાં આવશે અને ૬૨૫ કિ.મી.નું અંતર કાપવામાં આવશે.

English summary
Modi will Start yatra from Ambaji on his birthday. On this day he will perform pooja and start his yatra. on this ocassion BJP's national president NItin Gadkari will be present.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X