Monsoon : આવનારા 5 દિવસમાં ભારત પહોંચશે ચોમાસુ, જાણો ગુજરાત ક્યારે પહોંચશે?
કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે હવામાન વિભાગે એક સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 5 દિવસમાં ભારતમાં વરસાદની એન્ટ્રી થવા જઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટું એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, આગામી 5 દિવસમાં ચોમાસું કેરળમાં આવી શકે છે.

હવામાનશાસ્ત્રીઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ રહેવાની શક્યતા છે.
આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં સ્થિત ભારતીય હવામાન વિભાગના કેન્દ્ર અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ રહેવાની શક્યતા છે.
વૈજ્ઞાનિકો અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, માલદીવના બાકીના ભાગો અને કોમોરિન પ્રદેશમાં આગળ વધવાની શક્યતા છે.
આ સમયગાળા દરમિયાન લક્ષદ્વીપ પ્રદેશ, કેરળના કેટલાક ભાગો, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના ભાગો, ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વ રાજ્યોના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે.
ગુજરાતની વાત કરીએ તો, કેરળમાં ચોમાસુ પહોંચ્યાના 20 દિવસ આસપાસ ગુજરાત પહોંચતું હોય છે. જો સ્થિતી સામાન્ય રહેશે તો ચોમાસુ 15 થી 20 જૂન સુધીમાં ગુજરાત પહોંચી શકે છે.
જણાવી દઈએ કે અગાઉ ચોમાસાને લઈને આગાહી કરતી વખતે IMDએ કહ્યું હતું કે ચોમાસું આંદામાન નિકોબાર પહોંચી ગયું છે. ચોમાસું 31મી મે અથવા 1લી જૂને કેરળમાં પ્રવેશી શકે છે. IMDનો અંદાજ છે કે તે જે ઝડપે આગળ વધી રહી છે તેના આધારે તે 18 અને 20 જૂનની વચ્ચે ગોરખપુર અથવા વારાણસી થઈને યુપીમાં પ્રવેશ કરશે.












Click it and Unblock the Notifications
