'મોરબીમાં દૂર્ઘટના પહેલા જ તૂટી ચૂક્યા હતા પુલના ઘણા તાર...', SITએ દાખલ કર્યો પોતાનો પ્રારંભિક રિપોર્ટ
મોરબી પુલ દૂર્ઘટના માટે વિશેષ તપાસ સમિતિ(SIT)એ પોતાનો પ્રારંભિક રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.
Morbi Bridge Collapse: મોરબીમાં થયેલ પુલ દૂર્ઘટનાને લઈને વિશેષ તપાસ સમિતિ(SIT)એ પોતાનો પ્રારંભિક રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મોરબીમાં જે દિવસે પુલ તૂટ્યો એ પહેલા જ પુલ સાથે બાંધવામાં આવેલ 22 તાર તૂટી ચૂક્યા હતા. એસઆઈટીએ પોતાની તપાસમાં એ પણ જોયુ કે પુલના નવીનીકરણ કાર્ય દરમિયાન સસ્પેંડર્સને નવા સસ્પેંડર્સ સાથે વેલ્ડ કરી દેવામાં આવી હતી. જેની અસર સસ્પેંડર્સ પર પડી હતી. આ પ્રકારના પુલોમાં ભાર વહન કરવા માટે સિંગલ રૉડ સસ્પેંડર્સ હોવા જોઈએ.

એસઆઈટીની પ્રારંભિક તપાસ મુજબ કેબલ પર લગભગ અડધા તારો પર કાટ લાગવો અને જૂના સસ્પેન્ડર્સને નવા સાથે વેલ્ડિંગ કરવા એ મુખ્ય ખામીઓમાં સામેલ હતા જેના કારણે દૂર્ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે આ દૂર્ઘટનામાં 135 લોકોના મોત નીપજ્યા હતા. મચ્છુ નદી પર બ્રિટિશ કાળના પુલના સંચાલન અને જાળવણી માટે અજંતા મેન્યુફેક્ચરીંગ લિમિટેડ(ઓરેવા ગ્રુપ) જવાબદાર હતુ. એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં પુલનુ સમારકામ, જાળવણી અને સંચાલનમાં ઘણી ખામીઓ પણ જોઈ. નોંધનીય છે કે આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી, રાજ્ય માર્ગ તેમજ ભવન વિભાગના એક સચિવ તેમજ મુખ્ય વકીલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના એક પ્રોફેસર એસઆઈટીના સભ્ય છે.
એસઆઈટીના રિપોર્ટ મુજબ 1887માં તત્કાલિન શાસકો દ્વારા બાંધવામાં આવેલા મચ્છુ નદી પરના પુલના બે મુખ્ય કેબલમાંથી એકમાં કાટ લાગવાની સમસ્યા હતી અને 30 ઓક્ટોબરની સાંજે તે કેબલ તૂટતા પહેલા જ તેના લગભગ અડધા તાર તૂટી ગયા હોઈ શકે છે. એસઆઈટીના જણાવ્યા મુજબ નદીનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો, જેના કારણે આ દૂર્ઘટના બની હતી.
તમને જણાવી દઈએ કે મોરબી નગરપાલિકાએ જનરલ બોર્ડની મંજુરી વગર જ બ્રિજની જાળવણી અને સંચાલનનો કૉન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપ (અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ)ને આપ્યો હતો. તેણે માર્ચ 2022માં પુલને નવીનીકરણ માટે બંધ કરી દીધો હતો અને 26 ઓક્ટોબરે તેને કોઈપણ નિરીક્ષણ વિના ફરીથી ખોલ્યો હતો. એસઆઈટીના જણાવ્યા મુજબ પુલ તૂટ્યો એ વખતે તેના પર લગભગ 300 લોકો હતા, જે સંખ્યા પુલની લોડ વહન ક્ષમતા કરતા 'ઘણી વધારે' હતી. જો કે બ્રિજની વાસ્તવિક ક્ષમતાની પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ દ્વારા કરવામાં આવશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
