વાઇબ્રન્ટ ગુજરાતઃ સોલાર ક્ષેત્રે થયો એમઓયુ

એમઓયુ દરમિયાન ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જીના ડિરેક્ટર સંધ્યાબેન શાહ અને પંડિત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટીના ડો ઇન્દ્રજીત મુખોપાધ્યાય હાજર રહ્યાં હતા. સૌર ઉર્જામાં કરવામાં આ એમઓયુથી વિદ્યાર્થીઓને સૌર ઉર્જા ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થશે અને સૌર ક્ષેત્રે નવા સંશોધનોથી રોજગારીની તકો વધુ ઉજવળ બનશે તેવી આશા સેવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, ગુજરાત સરકારના ટેકનીકલ શિક્ષણ વિભાગે કેનેડાની સેનેકા કોલેજ સાથે સશોધન અને વિકાસ તથા નવી બાબતોના વિસ્તાર માટે, શિક્ષણની વિવિધ શાખાઓમાં સેન્ટર ઓફ એકસલન્સની સ્થાપના માટે તથા ઉચ્ચ શિક્ષણ ફોરમની સ્થાપના માટે એમઓયુ કર્યા હતા. રાજ્ય સરકારની ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીએ યુકેની યુનિવર્સિટી ઓફ લેન્કેશાયર સાથે ગુણવત્તાની પ્રતિબદ્ધતા માટેની પ્રક્રિયાના આયોજન માટે, શિક્ષણ, અભ્યાસ, સશોધન તથા જ્ઞાનના આદાનપ્રદાન માટેની સમજૂતિ માટે કરારો કર્યા હતા.
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીએ કેડીલા ફાર્માસ્યુટીકલ્સ લિમીટેડ સાથે લાઇફ સાયન્સના ક્ષેત્રમાં વિશ્વકક્ષાની યુનિવર્સિટીના નિર્માણ માટે એમઓયુ કર્યા હતા. આ પરાત ગુજરાતના સામાજિકઆર્થિક વિકાસ માટે, ગુજરાતમાં ઔદ્યોગિક સશોધનો તથા ભવિષ્યની તાલિમી માનવબળની જરૂરિયાતને પહોંચી વળવા માટેના આયોજનો અગે એમઓયુ થયા હતા. જયારે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી., ગાધીનગર)એ યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવન સાથે શૈક્ષણિક કાર્યક્રમો, માહિતી અને સશોધનોના આદાનપ્રદાન, શૈક્ષણિક સામગ્રીના આદાનપ્રદાન, ટૂકાગાળાના શૈક્ષણિક કાર્યક્રમોના સયુકત આયોજન તથા વિદ્યાર્થીઓ અને તજજ્ઞોના આદાનપ્રદાન માટે એમઓયુ કર્યા હતા. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, ૬ઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટની મુખ્ય મધ્યવર્તી થીમ જ ‘નોલેજ' છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વિશ્વની ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સસ્થાઓની આતરરાષ્ટ્રીય પરિષદ(ICAI))નો પ્રારભ કરતાં ઉચ્ચ અને યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રે જ્ઞાનના આદાનપ્રદાન અને સહભાગીતા માટેનુ વૈશ્વિક ફોરમ ઉભુ કરવાનુ પ્રેરક સૂચન કર્યું હતુ. ગુજરાતે આતરરાષ્ટ્રીય પરિષદનુ આયોજન કરીને માનવ સસાધન વિકાસ માટેની આ તક પલબ્ધ કરી છે, તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યુ હતુ.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ ર૦૧૩ અતર્ગત આજથી ગાધીનગર નજીક પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી પરિસરમાં માનવ સસાધન વિકાસના ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણના જ્ઞાન સહયોગ માટેની આ પરિષદ થઇ છે. જેમાં ર૬૦ જેટલી ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સસ્થાઓના કેળવણીકારો અને શિક્ષણવિદો ભાગ લઇ રઘા છે. આ પરિષદમાં ૧૪પ જેટલી ઇન્ટરનેશનલ બાવન ભારતભરના રાજ્યોની અને ગુજરાતની ૬૭ શિક્ષણ સસ્થાઓ પરસ્પર સહભાગીતાના વિનિયોગ માટે સામૂહિક ચિતન અને મનન કરશે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
