નલિયા દુષ્કર્મકાંડ: 4 ભાજપના કાર્યકરોને કરવામાં આવ્યા સસ્પેન્ડ
નલિયા દુષ્કર્મકાંડમાં વિવાદ વધતા આખરે ભાજપે જવાબી કાર્યવાહી કરતા 4 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. આ અંગે વધુ વાંચો અહીં.
નલિયા દુષ્કર્મકાંડમાં ભાજપે મોડે મોડે પણ કડક વલણ અપનાવીને આ મામલે તેના ચાર કાર્યકર્તાઓ શાંતિલાલ સોલંકી, વસંત ભાનુશાળી, અજીત રામવાણી અને ગોવિંદ પારૂમલાણીને આખરે તેમના પદથી સસ્પેન્ડ કર્યા છે. નોંધનીય છે કે આ સમગ્ર પ્રકરણ અત્યાર સુધીમાં 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે અને ખાલી 3 લોકોની જ ધરપકડ થઇ છે. પોલીસે અત્યાર સુધી આ કેસમાં આરોપી તેવા અશ્વિન ઠક્કર, વિનોદ ભીંડે અને તેના પુત્ર ચેતનની ધરપકડ કરી છે.

ત્યારે નલિયાકાંડમાં જે વિગતો બહાર આવી છે તે ખરેખરમાં ચોંકવનારી છે. નોંધનીય છે કે પીડીતા સાથે નલિયામાં નવ લોકોએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. એટલું જ નહીં આ એફઆઇઆરમાં કેટલાક લોકો દ્વારા અહીં 30 થી 40 યુવતીઓને ફસાવીને મોટું સેક્સ રેકેટ ચાલતું હોવાની વાત પણ ઉચ્ચારવામાં આવી હતી. અને આ તમામ ભાજપ ભાજપી કાર્યકર્તાઓનો હાથ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ કેસની શરૂઆતમાં ભાજપ નરમી ભરેલું વર્તન રાખ્યું હતું. અને જણાવ્યું હતું કે ફરિયાદમાં નામો અધુરા છે અને જો આરોપ થશે તો જ તેમની પર પગલાં લેવામાં આવશે. જો કે તે બાદ આ મામલે વિવાદ વધતા આજે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નલિયા દુષ્કર્મની વિગતો મુજબ નલિયાના કોઠારા ગામની એક 24 વર્ષીય યુવતીને નોકરી આપવાના બહાનું આપી શાંતિભાઇ સોલંકીએ એડવાન્સ સેલેરી આપવાની કહી ઘરે બોલાવી હતી અને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ કર્યું હતું. વળી યુવતીનો વીડીયો બનાવીને તેને બ્લેકમેલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. યુવતીનો વધુમાં આરોપ છે કે તેમની પાસે આવી 30 થી 40 અન્ય યુવતીઓ પણ છે. ત્યારે હાલ પોલીસ આ તમામ મામલે આગળ તપાસ કરી રહી છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી











Click it and Unblock the Notifications
