સુરત રેપ કેસમાં નારાયણ સાઈ દોષિત જાહેર, 30 એપ્રિલે સજા થશે
સુરત રેપ કેસમાં નારાયણ સાઈ દોષિત જાહેર, 30 એપ્રિલે સજા થશે
આસારામના દીકરા નારાયણ સાંઈને બળાત્કારના આરોપમાં શુક્રવારે સુરતની સેશન કોર્ટે દોષી માન્યો છે. નારાયણ સાંઈ વિરુદ્ધ સૂરતની બે બહેનોએ રેપનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે આ મામલે પોતાનો ફેલો સુરક્ષિત રાખી લીધો છે. અદાલત આનો નિર્ણય 30 એપ્રિલે સંભળાવશે. જણાવી દઈએ કે ખુદ આસારામ પણ રેપ મામલામાં પહેલેથી જ જોધપુરની જેલમાં બંધ છે. કોર્ટનો ફેસલો 11 વર્ષ જૂના કેસમાં આવ્યો છે.

પોલીસે ઓક્ટોબર 2013માં પીડિત બહેનોના નિવેદન અને લોકેશનથી મળેલ સબુતોના આધાર પર નારાયણ સાંઈ અને આસારામ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પીડિતા નાની બહેને પોતાના નિવેદનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ પુષ્ત સબૂત આપતા દરેક લોકેશનની ઓળખ કરી હતી. જ્યારે મોટી બહેને આસારામ વિરુદ્ધ મામલો નોંધાવ્યો હતો. એફઆઈઆર નોંધાયાના બે મહિના બાદ ડિસેમ્બર 2013માં નારાયણ સાંઈ દિલ્હી-હરિયાણા બોર્ડર પાસેથી પકડાયા હતા. ધરપકડ સમયે નારાયણ સાંઈએ સિખ વ્યક્તિનો ભેષ ધારણ કરી રાખ્યો હતો.
આ પણ વાંચો- પાવર ઓફ પાટીદાર ફિલ્મ પ્રોડ્યુસરે નારાયણ સાઇ પર કર્યો ગંભીર આક્ષેપ












Click it and Unblock the Notifications
