સોનાની સાવરણી ફેરવવાનો રેકૉર્ડ પણ મોદીના નામે
અમદાવાદ, 6 જુલાઈ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામે એમ તો ઘણાં રેકૉર્ડ્સ છે. જોકે ટેકેદારો અને વિરોધીઓ તેમના રેકૉર્ડ્સને પોતા-પોતાની રીતે વટાવતાં રહે છે, પરંતુ જ્યાં સુધી પુરી બાદ દેશમાં નિકળતી બીજી સૌથી મોટી જગન્નાથ રથયાત્રા અમદાવાદના ઉત્સવની વાત છે, તો તેની સાથે મોદીના નામે એક અનોખો રેકૉર્ડ જોડાયેલો છે. આ રેકૉર્ડ છે પહિંદ વિધિ કરવાનો.
આવો આપને પહેલા બતાવીએ કે પહિંદ વિધિ શું છે? જ્યાં સુધી પહિંદ વિધિની પરમ્પરાનો પ્રશ્ન છે, તો આ ઓડિશાના પુરી ખાતે યોજાતી રથયાત્રાની જેમ 1989માં અમદાવાદમાં પણ આ પરમ્પરા શરૂ કરવામાં આવી. ઓડીશામાં રાજાના હાથે જગન્નાથના રથને સોનાની સાવરણીથી સાફ કરાવીને પહિંદ વિધિ કરાય છે. તેની પાછળનો ભાવ એ જ હોય છે કે રથયાત્રા ઉત્સવ સામાન્ય પ્રજાથી લઈ રાજા સુધી સૌનો ઉત્સવ છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાના જણાવ્યા મુજબ અમદાવાદમાં પ્રથમ વાર 1989માં તે વખતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પહિંદ વિધિ કરી હતી અને રથ ખેંચ્યુ હતું. ચૌધરીએ આ પહેલ તેમના પૂર્વેના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પ્રત્યે જગન્નાથ મંદિર અને શ્રદ્ધાળુઓમાં વ્યાપ્ત થયેલી નકારાત્મક છબીને ભુંસવા માટે કરી હતી. સોલંકીએ 1985ની રથયાત્રા શાંતિ-વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે રોકવાનો પ્રયત્ન કર્યો હતો.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10મી જુલાઈના રોજ અમદાવાદમાં નિકળનારી 136મી રથયાત્રામાં સતત 12મી વખત આ પહિંદ વિધિ કરવાનાં છે. ગુજરાતથી લઈ સમગ્ર ભારતીય રાજકારણમાં વિરોધીઓના મનસૂબા પર સાવરણી ફેરવતાં નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથના રથને 12મી વખત સોનાની સાવરણીથી સાફ કરશે અને રથ ખેંચી પહિંદ વિધિ કરશે.
કેશુભાઈનો
રેકૉર્ડ
તોડ્યો
આ
અગાઉ
આ
રેકૉર્ડ
કેશુભાઈ
પટેલના
નામે
હતો.
તેમણે
5
વાર
પહિંદ
વિધિ
કરી
હતી.
મોદીએ
આ
રેકૉર્ડ
2007માં
છઠી
વાર
પહિંદ
વિધિ
કરી
તોડી
નાંખ્યો
હતો.
રાજ્યના
ઇતિહાસમાં
સત્તાનો
કાર્યકાળ
પૂર્ણ
કરવાનો
રેકૉર્ડ
એકમાત્ર
માધવસિંહ
સોલંકીના
નામે
હતો
અને
મોદી
તે
રેકૉર્ડ
તોડી
ચુક્યાં
છે,
તો
પહિંદ
વિધિ
બાબતે
તેઓ
અજેય
રેકૉર્ડ
તરફ
સતત
આગળ
વધતા
રહ્યાં
છે.
કેશુભાઈ
પટેલે
1995
અને
1998થી
2001
દરમિયાન
પાંચ
વખત
પહિંદ
વિધિ
કરી
હતી.
દિલીપ
પરીખ
બદનસીબ
મુખ્યમંત્રી
અમદાવાદની
રથયાત્રામાં
1989થી
શરૂ
થયેલી
પહિંદ
વિધિ
કરવાની
તક
દિલીપ
પરીખ
સિવાય
તમામ
મુખ્યમંત્રીઓને
મળી
છે.
દિલીપ
પરીખ
માત્ર
ચાર
માસ
માટે
જ
મુખ્યમંત્રી
બન્યા
હતાં
અને
તે
દરમિયાન
રથયાત્રા
ઉત્સવ
નહોતો
આવ્યો.
કેશુભાઈ
પહેલા
પહિંદ
વિધિ
કરવાનો
રેકૉર્ડ
ચિમનભાઈ
પટેલના
નામે
હતો.
ચિમનભાઈએ
1990થી
1993
દરમિયાન
ચાર
વાર
પહિંદ
વિધિ
કરી
હતી.
ઉપરાંત
છબીલદાસ
મેહતાએ
1994,
સુરેશચંદ્ર
મહેતાએ
1996
અને
શંકરસિંહ
વાઘેલાએ
1997માં
એક-એક
વાર
પહિંદ
વિધિ
કરી
હતી.