Video: શહેરના વિકાસ અને કેન્સરના દર્દીઓ માટે દોડશે સુરત
સુરત, 23 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે 6 વાગ્યે સુરત નાઇટ મેરેથોન દોડને લીલી ઝંડી બતાવશે. ગુજરાતમાં મોદીના શાસનમાં અત્યાર સુધી ઘણી બધી મેરોથોન દોડનું આયોજન થઇ ચૂક્યું છે અને તેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી લોકો ઉમટી પડે છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં યોજાનારી મેરેથોન દોડનું ઉદઘાટન કરાવશે. આ નાઇટ મેરેથોનમાં ત્રણ પ્રકારની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 42 કિમીની ફૂલ મેરેથોન દોડ, 21 કિમીની હાફ મેરેથોન દોડ, જ્યારે 10 કિમીની મેરેથોન દોડનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે આ સુરત નાઇટ મેરેથોન દોડમાંથી જે આવક ઊભી થશે તેને શહેરના સીસીટીવી પ્રોજેક્ટમાં, સુરત ટ્રાફીક બ્રિઝ, અને કેન્સરના દર્દીઓની સારવાર માટે ખર્ચ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
