હજીરા અકસ્માત: નરેન્દ્ર મોદીએ મનમોહનને લખ્યો પત્ર

ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં નરેન્દ્ર મોદીના પત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હજીરાની તાજા ઘટના એવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે પ્રભાવી અને યોગ્ય સમય પર પગલાં ભરવા કેન્દ્ર સરકારની ક્ષમતા પર ગંભીર સવાલ ઉઠાવે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જયપુરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ટર્મિનલમાં 2009માં આગ લાગ્યા બાદ લાલ સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને 118 ભલામણો કરી છે. તેમને આ ભલામણો અંગે જાણકારીના અભાવ પર ચિંતા વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખરાબ અમલીકરણ અને આવી ઘટનાઓનું પુનરવર્તનથી નાગરિકોને સુરક્ષા પુરી પાડવાનાની સરકારની ક્ષમતામાં વિશ્વાસ નબળો થતો જાય છે. હજીરા પ્લાન્ટમાં પાંચ જાન્યુઆરીએ આગ લાગવાથી ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. ભારે નુકસાન ઉપરાંત ઓઇલ પુરવઠામાં વિધ્નો ઉભા થયા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન સહન કરી ના શકીએ કારણ કે આનાથી ઉર્જા સુરક્ષા પર અસર પડે છે. તેમને વડાપ્રધાનને કહ્યું હતું કે લાલ સમિતિની ભલામણોને અમલમાં મુકવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં જવાબદારી નક્કી કરે.












Click it and Unblock the Notifications
