For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મોદી મંથરા કરતાં પણ વધારે જુઠ્ઠાણું ફેલાવે છે'

|
Google Oneindia Gujarati News

congress
ગાંધીનગર, 29 નવેમ્બર: પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી રાજ્યના ૧૬ લાખ કિસાનના જીવનમાં બહુ મોટાપાયે ગુણાત્મક સુધારા આવ્યા છે, તેવું કહેનારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રામાવતાર દરમિયાન મંથરા જેટલું જુઠ્ઠું બોલતી તેના કરતાં પણ વધારે ખોટું બોલે છે તેવું માહિ‌તી અધિકાર અધિનિયમ હેઠળ મગાયેલી વિગતો પરથી સાબિત થાય છે તેવો આક્ષેપ કચ્છ લડાયક મંચના પ્રમુખે કર્યો છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના લગભગ તમામ ગુજરાતી અખબારોમાં તા. ૨/પ/૧૨ના રાજ્યના ૧૬ લાખ કિસાનનું જીવનધોરણ સુધર્યું છે, તે દાવો કરતી જાહેરાત પ્રકાશિત થતાં લડાયક મંચે આ ૧૬ લાખ ખેડૂતની યાદી માહિ‌તી અધિકાર હેઠળ માગી હતી. આ વિગતનો વ્યાપ વધારે હોવાનું કારણ આપી માહિ‌તી પૂરી પાડવા માટે સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવે અસમર્થતા દર્શાવી હતી.

જેને પગલે કિસાનોના આંકડા અને તેમની પાછળ કરેલો કરોડોનો ખર્ચ રાજ્ય સરકારે કયાંથી મેળવ્યા તેવી વધુ એક માહિ‌તી માગવામાં આવી હતી, પણ તેનો જવાબ આજ સુધી મળ્યો નથી તેવું કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઇ જોશીએ જણાવતાં ઉમેર્યું હતું કે, સચિવાલયના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે તેમને જણાવ્યું હતું કે, મોદીના કહેવા થકી સરકારે આપેલી જાહેરાત સાચી હોવાના કોઇ જ આધાર પૂરાવા છે જ નહીં. મુખ્યમંત્રી મોદી રામાયણ યુગની મંથરા કરતાં પણ વધારે જુઠ્ઠાણુ ફેલાવતા હોવાનું સાબિત થાય છે તેવું મંચના પ્રમુખે ઉમેર્યું હતું.

English summary
Narendra Modi telling lie in development advertising said congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X