નરહરિ અમીન બળવાખોર બન્યા, કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ

આ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે "કોંગ્રેસમાં મેં અદના કાર્યકર અને આગેવાન તરીકે દિવસ-રાત કામ કર્યું છે. મને જે કામગીરી સોંપાઇ તે મારી તમામ તાકાત લગાવીને પાર પાડી છે. હું જ્યારે ઉપમુખ્યમંત્રી હતો ત્યારે જેમની રાજકીય કારકિર્દી શરૂ થઇ ન હતી આજે તેઓ મોટા નેતા બનીને પક્ષ માટે પરસેવો પાડનારાને અન્યાય કરી રહ્યા છે. મારી અવગણના થતા અને ટિકીટ નહીં ફાળવાતા મેં રાજીનામું આપ્યું છે. આ નિર્ણય મેં મારા મિત્રો સમર્થકો, કાર્યકરો સાથે ચર્ચા કરીને લીધો છે."
અમીને જણાવ્યું કે "મેં કોંગ્રેસના બધા પદ પરથી રાજીનામું આપ્યું છે પણ મારા સમર્થકો અને કાર્યકરોને મારા તરફથી કોઇ દબાણ નથી. આગામી દિવસોમાં મારે આગળ શું કરવું તે અંગેનો નિર્ણય મારા સાથીઓ સાથે ચર્ચા કરીને લઇશ. મને ખાતરી છે કે આ રીતે કોંગ્રેસ ગુજરાતમાં ક્યારેય સત્તા મેળવી શકશે નહીં. 20 ડિસેમ્બરે કોંગ્રેસને ખબર પડશે કે નરહરિ અમીને પક્ષ માટે શું કર્યું છે."
આજે કોંગ્રેસમાંથી નરહરિ અમીન ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા હિતેશ પટેલ, જયંતિ પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનોએ પણ નરહરિ અમીનના સમર્થનમાં રાજીનામાં આપ્યાં છે.
આ વખતે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બંને તબક્કા પૈકી એક પણ વિધાનસભા મતવિસ્તાર માટે નરહરિ અમીનને ટિકીટ ફાળવવામાં આવી ન હતી. આ કારણે નારાજ અમીન આજે રાજીનામુ આપ્યું હતું.
બે દિવસ પહેલા નરહરિ અમીને એસ જી હાઇવે પર આવેલા પોતાના ફાર્મ હાઉસમાં કોંગ્રેસના અસંતુષ્ટોની સભા યોજી હતી. જેમાં કાર્યકરો, આગેવાનો અને સમર્થકો સાથે ચર્ચા કરીને તેમણે જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે કામ નહીં કરે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાની જરૂર નથી. જે લોકોએ કોંગ્રેસના વફાદાર કાર્યકર્તા અને આગેવાનોને અવગણીને તેમનું અપમાન કર્યું છે, તેમને જીતાડવાનો પ્રયત્ન અમે નહીં કરીએ.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
