નરોડા પાટિયા કેસના દોષિત માયાબેન કોડનાનીને ટીબી રોગ
અમદાવાદ, 28 સપ્ટેમ્બર : નરોડા પાટિયા હત્યાકાંડમાં સાબરમતી જેલમાં કેદની સજા કાપી રહેલાં અને હાલ યુ એન મહેતા હોસ્પિટલમાં હૃદયની સારવાર લઈ રહેલાં માયાબહેન કોડનાનીને જેલમાં ટીબીની બીમારી લાગુ પડી હોવાનું અત્યંત વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળે છે.
યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન માયાબહેનને ટીબી હોવાનું ખૂલ્યું છે. જોકે ટીબી ફેફસાંનો છે કે આંતરડાંનો એ કન્ફર્મ કરવા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ગુજરાતના પૂર્વ પ્રધાન માયાબહેન કોડનાની નરોડા પાટિયા હત્યાકાંડના કેસમાં 28 વર્ષની જેલની સજા થતાં ભાંગી પડયાં છે. સજાના દિવસે 60 કિલોનાં માયાબહેન આજે 47 કિલો વજન ધરાવતાં થઈ ગયાં છે.

જેલમાં ભારે હતાશામાં તેઓ જીવી રહ્યાં છે. ડિપ્રેશનના કારણે તેમને જીવવામાંથી રસ ઊડી ગયો છે. દવાઓ પણ લેવાનું ટાળે છે. પરિણામે માયાબહેનની હાર્ટની બીમારી વધી ગઈ છે. જેલનો ખોરાક અનુકૂળ નહીં હોવાથી તેમની તબિયત વધુ કથળી છે. કેમ કે તેમને પરેજી પાળજી પડતી હોય છે. જેલવાસ દરમિયાન માયાબહેનને ટીબીની બીમારી લાગુ પડી હોવાનું બહાર આવ્યું છે.
ટીબીની ગંભીર બીમારીના કારણે માયાબહેનને યુ એન મહેતા હોસ્પિટલમાં વધુ લાંબો સમય રાખવામાં આવ્યાં છે. હાર્ટમાં દુખાવો થતાં માયાબહેન કોડનાનીને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને ઘણા લાંબા સમયથી હાર્ટની બીમારી હતી. યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાર્ટની બીમારી કરતાં ટીબીની બીમારી વધુ ગંભીર હોવાનું બહાર આવતાં માયાબહેનની સારવાર આઈસીયુમાં ચાલુ રાખવામાં આવી છે.
હજી કેટલોક વધુ સમય માયાબહેનને હોસ્પિટલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. કેમ કે જો તેમને રજા આપી દેવામાં આવે અને જેલમાં ફરી એ જ કેદીઓનો ખોરાક અપાય તો ટીબીની બીમારી જીવલેણ બની શકે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
