Navratri 2023: 24 કલાકમાં ગરબા રમતા સમયે ઘણા લોકોને આવ્યો હાર્ટ એટેક, 10 લોકોના મોત
Navratri 2023: નવરાત્રી સાથે સમગ્ર દેશમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ગરબાની ધામધુમ ચાલી રહી છે. આવામાં રાજ્યમાં ગરબા રમતા સમયે લોકોને હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 10 લોકોના મોત ગરબા રમતા સમયે હાર્ટ એટેક આવવાના કારણે થયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન ગરબા કરતી વખતે 10 લોકોના મોત થયા છે.

હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનારાઓમાં કિશોરોથી માંડીને આધેડ વયના લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી નાનો 13 વર્ષનો છોકરો હતો, જે ડભોઈનો રહેવાસી હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારના રોજ અમદાવાદનો એક 24 વર્ષીય યુવક ગરબા રમતા સમયે અચાનક પડી ગયો હતો, જે બાદ તેનું મોત થયું હતું. આવી જ રીતે કપડવંજના 17 વર્ષના છોકરાનું પણ ગરબા રમતા મૃત્યુ થયું હતું. રાજ્યમાં પાછલા દિવસોમાં આવા જ ઘણા કેસ નોંધાયા છે.
નવરાત્રીના પ્રથમ છ દિવસોમાં, 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓને હૃદયની સમસ્યાઓ માટે 521 કોલ અને શ્વાસની તકલીફ માટે વધારાના 609 કોલ મળ્યા હતા. આ કોલ્સ સાંજે 6 થી 2 કલાકની વચ્ચે નોંધાયા હતા, જ્યારે સામાન્ય રીતે ગરબાની ઉજવણી થતી હતી.
રાજ્ય સરકાર દ્વારા ગરબા સ્થળોની નજીકની તમામ સરકારી હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHCs) ને ચેતવણી જાહેર કરવામાં આવી છે, અને તેમને ઉચ્ચ ચેતવણી પર રહેવા વિનંતી કરી છે.
ગરબામાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ
- કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષના યુવક વીર શાહને હાર્ટ એટેક આવ્યો હતો, અને તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
- વડોદરાના હરણી વિસ્તારમાં ગરબા રમતા એક વ્યક્તિનું મોત થયું હતું.
- ડભોઈમાં 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
- નવસારીમાં ગરબા રમતા 1 યુવકે જીવ ગુમાવ્યો હતો
- અમરેલી અને જામનગરમાં બે-બે અને દ્વારકામાં બે લોકોના મોત થયા છે.












Click it and Unblock the Notifications
