Navratri 2024: ગરબા રમવા હોય તો બતાવવું પડશે આધાર કાર્ડ
Navratri 2024: ગણેશ મહોત્સવ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં પથ્થરમારાની ઘટનાઓ સામે નારાજગી વ્યક્ત કરતાં વિવિધ સંસ્થાઓએ આવતા મહિને શરૂ થઈ રહેલા નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે ગરબા આયોજકોએ ભાગ લેનારાઓની ઓળખ કરવી જરૂરી માને છે.
મુસ્લીમ યુવકો હિન્દુ નામનો ઉપયોગ કરીને હિન્દુ છોકરીઓને ફસાવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જે કારણે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે જે રીતે ગણેશોત્સવમાં પથ્થરમારો કરીને વાતાવરણ ડહોળવાના પ્રયાસો થયા છે, તેના કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આવા સમયે મુસ્લિમ નેતાઓ પૂછે છે કે, શું તેઓને રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક આધાર પર આયોજિત ગરબામાં પ્રવેશતા રોકવામાં આવશે.
સાહિર રાસોત્સવના ડાયરેક્ટર સુરેન્દ્ર સિંહ વાળાએ જણાવ્યું હતું કે, ગણેશ પંડાલમાં પથ્થરમારો અને લવ જેહાદ જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગરબા મહોત્સવમાં બિનહિન્દુઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.
આ માટે ગરબા રમવા આવતા ખેલૈયાઓએ ફરજિયાતપણ આધાર કાર્ડ બતાવવું પડશે.
આધાર કાર્ડ બતાવ્યા બાદ જ મળશે એન્ટ્રી - મુસ્લિમ યુવાનો નામ બદલીને ગરબામાં જોડાય છે, જે ખોટું છે. આ માટે આધાર કાર્ડ જોયા પછી જ પ્રવેશ આપવામાં આવશે.
કડવા પાટીદાર સમાજના પુષ્કર પટેલ કહે છે કે, આધાર કાર્ડ જેવી સિસ્ટમ જરૂરી છે. લવ જેહાદની માનસિકતા સાથે મુસ્લિમ યુવાનો નામ બદલીને ગરબા ઉત્સવમાં આવે છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે પણ ગરબા અને અન્ય સમારંભોમાં બિન-હિંદુઓના પ્રવેશનો વિરોધ કર્યો છે. VHPના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે અપીલ કરી છે કે, ગરબા આયોજકોએ ઓળખ કાર્ડ જોઈને જ ફેસ્ટિવલમાં પ્રવેશ કરવો જોઈએ.
બજરંગ દળ આ અંગે હેલ્પલાઇન શરૂ કરશે. AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીનું માનવું છે કે, રાજ્યમાં સુપર પોલીસિંગ થઈ રહી છે. ધર્મના આધારે પ્રવેશ નકારવો ખોટું છે.












Click it and Unblock the Notifications
