તો આ રીતે શરૂ થઈ હતી નવરાત્રીની ઉજવણી, જાણો 2 પૌરાણિક કથા
Navratri 2024: થોડા દિવસોમાં શારદિય નવરાત્રી એટલે કે માતાજીના નોરતા શરૂ થવા જઇ રહ્યા છે. નોરતાની તૈયારીમાં સમગ્ર દેશ હર્ષોઉલ્લાસ સાથે જોડાઇ ગયો છે. 9 દિવસ સુધી ચાલનારા આ નોરતામાં લોકો માતાજીની આરાધના કરે છે. આ સાથે મન મૂકીને ગરબા પણ રમે છે.
વર્ષ 2024માં 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થશે. નવરાત્રી દરમિયાન, ભક્તો માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે, અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ પણ રાખે છે.
દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પ્રગતિનો માર્ગ મોકળો થાય છે. નવરાત્રીએ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે.
નવરાત્રીના તહેવારની ઉજવણીની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આ અહેવાલમાં આજે આપણે નવરાત્રી સાથે જોડાયેલી બે પૌરાણિક કથાઓ વિશે જાણીશું.
નવરાત્રી સંબંધિત પ્રથમ કથા
હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દેવી દુર્ગા અને મહિષાસુરની કથાનો ઉલ્લેખ છે. આ કથા દ્વારા આપણને સત્તા અને અધર્મ પર ધર્મની જીતનો સંદેશ મળે છે. આ દંતકથા અનુસાર, મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો, જેણે પોતાની શક્તિના નશામાં સ્વર્ગ અને પૃથ્વી પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું.

મહિષાસુરે તપ કરીને ભગવાન બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે, કોઈ પણ દેવ, રાક્ષસ કે મનુષ્ય તેને મારી શકે નહીં. આ પછી ત્રણેય દેવોએ તેમની શક્તિઓનું સંયોજન કર્યું અને દેવી દુર્ગાને પ્રગટ કરી હતી. આ ઉપરાંત બધા દેવતાઓએ તેમના શ્રેષ્ઠ શસ્ત્રો દેવી દુર્ગાને આપ્યા હતા.
આ પછી મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મહિષાસુરે અનેક સ્વરૂપો બદલ્યા, પરંતુ દેવી દુર્ગાએ મહિષાસુરના દરેક સ્વરૂપને હરાવ્યા. યુદ્ધના અંતે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો.
એવું માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ કર્યો. વિજયની યાદમાં, દેવતાઓએ માતા દુર્ગાની પ્રશંસા કરી અને તેમનું નામ મહિષાસુરમર્દિની રાખ્યું.
આજે પણ નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના મહિષાસુર સાથેના નવ દિવસના યુદ્ધને યાદ કરીને માતા શક્તિની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રીને લગતી બીજી કથા
રામાયણમાં વર્ણવેલી કથા અનુસાર, ભગવાન રામે લંકામાં રાવણ સામે યુદ્ધ કરતા પહેલા 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી હતી. ભગવાન રામની ભક્તિથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમને યુદ્ધમાં વિજયનું વરદાન આપ્યું હતું.
દસમા દિવસે ભગવાન રામે રાવણને યુદ્ધમાં હરાવ્યો હતો. તેથી નવરાત્રી પછીના દસમા દિવસને વિજ્યાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી, ત્યારથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
