NBCC એ વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના માટે ગુજરાતના 25 PACS સાથે એમઓયુ કર્યા
નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડે ઉત્તર ગુજરાતની 25 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ સાથે અનાજ સંગ્રહ એકમ સ્થાપવા એમઓયુ કર્યા છે.
ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આની જાહેરાત કરી અને જણાવ્યુ કે, રાષ્ટ્રવ્યાપી ખાદ્યાન્ન સંગ્રહ ક્ષમતાને વિસ્તૃત કરવાની કેન્દ્ર સરકારની પહેલના ભાગ રૂપે દરેક રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ એક વેરહાઉસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રોજેક્ટ માટે વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામની પસંદગી 750 મેટ્રિક ટન અનાજનો સંગ્રહ કરવા સક્ષમ વેરહાઉસ બનાવવા માટે કરવામાં આવી છે.
ગાંધીનગરમાં સહકારી મંડળીના રજીસ્ટ્રારની કચેરી ખાતે આજે હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો અને ટૂંક સમયમાં સ્ટોરેજ ફેસિલિટીનું બાંધકામ શરૂ થવાની તૈયારી છે.












Click it and Unblock the Notifications
