Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં કોંગ્રેસ સાથેનું જોડાણ એનસીપી તોડી શકે : રાજ્ય NCP પ્રમુખ

jayant-patel-bosky
અમદાવાદ, 20 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં દર વખતે કોંગ્રેસ અને એનસીપીના જોડાણ મુદ્દે મતભેદ સર્જાય છે અને આ જોડાણનો અંત આવે એવી સ્થિતિ ઉભી થાય છે. દરેક ચૂંટણીઓમાં કોંગ્રેસ પર દબાણ ઉભું કરવા માટે જાણીતી એનસીપીએ આ વખતે પણ પોતાનો જૂનો રાગ આલાપી દીધો છે અને કોંગ્રેસ પોતાની શરતો માનશે નહીં તો જોડાણનો અંત લાવવાની ધમકી ઉચ્ચારી દીધી છે.

રાષ્ટ્રીય સ્તરે શરદ પવારની અધ્યક્ષતાવાળા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલે (બોસ્કી) આજે ગુજરાતમાં કોંગ્રેસ સાથેના જોડાણનો અંત લાવવાની વાત ઉચ્ચારી હતી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે એનસીપી બેઠકો પર કોંગ્રેસ સાથે જોડાણ કરવાને બદલે તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

કોંગ્રેસ સાથે બેઠક ફાળવણી મુદ્દે નાખુશ એનસીપી પ્રમુખ જયંત પટેલે દિલ્હીથી જણાવ્યું કે "ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં અમારે કોંગ્રેસ સાથે લિંબાયત, બાપુનગર, કુતિયાણા અને વાવ બેઠકોના મુદ્દે મતભેદ છે. આ બેઠકો પર કોંગ્રેસ સારો દેખાવ કરી શકે એમ નથી. જ્યારે અમને વિશ્વાસ છે કે અમારું સંગઠન આ બેઠકો પર સારું પ્રદર્શન કરી શકશે. પણ કોંગ્રેસ આ બેઠકો એનસીપીને આપવા માંગતી નથી."

જયંત પટેલ મંગળવારે સાંજે અમદાવાદ પરત ફરીને એનસીપીના આગેવાનો સાથે બેઠક ફાળવણી મુદ્દે ચર્ચા કરી, કોંગ્રેસ સાથે પોતાના જોડાણનું ભવિષ્ય નક્કી કરશે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ સાથે વાટાઘાટો ચાલુ રહેશે. હાલના તબક્કે અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ સાથે છેડો ફાડીને તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X