Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવેમ્બર 26, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

somnath-clash
સોમનાથઃ બે કોમ વચ્ચે અથડામણ, પાંચ દુકાનો સળગાવાઇ
સોમનાથમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં બન્ને જૂથોના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા જોઇ એસપી, કલેક્ટર, મામલતદાર સહિતના ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં મળતી માહિતી અનુસાર ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં એકને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં પાંચ દુકાનો અને નવ બાઇક સળગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ધારીઃ સિંહણની પજવણી કરનાર ઝડપાયો
થોડાક દિવસ પહેલા વોટ્સએપ પર વાઇરલ થયેલી સિંહણની પજવણી કરતી ક્લિપમાં કાર્યવાહી હાથ ધરતા વન વિભાગ દ્વારા શિવા સાર્દુલ લખનોત્રા નામના યુવકને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર 10 મહિના પૂર્વે શિવાએ જસાધાર રેન્જના સરકડિયા નેસ વિસ્તારમાં સિંહણની પજવણી કરી હતી. પોતાનો મોબાઇલ રિપેરિંગ આપ્યા બાદ આ ક્લિપ ફરતી થઇ ગઇ હતી. વન વિભાગે યુવકને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદઃ બંધક બનાવી લૂંટ ચલાવતા આરોપીની ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારની અણીએ લોકોને બંધક બનાવી લૂંટ ચલાવનારા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કાળુ પલાસે નામના આરોપી પાસેથી ખતરિયુ અને એક બાઇક કબજે કરી છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, જે આધારે તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે, પોલીસ દ્વારા એવી શક્યતાઓ સેવવામાં આવી રહી છેકે 17 જેટલા વણઉકેલા ગુનાઓ પરથી પડદો ઉઠી શકે છે.

અમદાવાદઃ પોલીસકર્મીના ઘરેથી 3.66 લાખની ચોરી
અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા બોરસદ ટાઉન પીએસઆઇ અમૃત ભૂનાતરના ઘરને ચોરોએ નિશાન બનાવી 21 તોલા સોનાના દાગીના સહિત 31 હજારની રોકડ રકમ મળી કુલ 3.66 લાખની મતાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જેને લઇને પોલીસે ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે જાણ થયા બાદ શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરઃ નજીવી બાબતે પત્નીએ કરી આત્મહત્યા
ભાવનગરના સરતાનપર ગામે પતિ અને પત્ની વચ્ચે થયેલા નજીવી ઝઘડામાં પત્નીએ જાત જલાવી આત્મહત્યા કરી હતી, જેમાં પત્નીને બચાવવા જતા પતિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે દાઝેલા પતિ અને પત્નીને સારવાર અર્થે તળાજા અને બાદમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X