ગ્રેજ્યુએટ જ આપી શકશે તલાટીની પરીક્ષા?
Talati Cum Mantri exam: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રી પરીક્ષા માટે લાયકાતના માપદંડમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં હવે ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કરેલું હોવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 12મા ધોરણમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે લાયક હતા. એનો અર્થ એ થયો કે હવે માત્ર 12 પાસ ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં, તેમણે 12 પછી ગ્રેજ્યુએશન પણ પૂરુ કરેલું હોવું જરૂરી છે.

સૌથી લેટેસ્ટ તલાટી કમ મંત્રી પરીક્ષા મે મહિનામાં આવી હતી, જે સમગ્ર રાજ્યમાં 2697 કેન્દ્રો પર ફેલાયેલી હતી. પાંચ વર્ષના વિરામ બાદ આયોજિત આ પરીક્ષામાં 8.50 લાખથી વધુ ઉમેદવારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જે 3400થી વધુ પદો ઓફર કરવામાં આવ્યા હતા.
બાદમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 3014 પંચાયત સેવાના તલાટી કમ મંત્રીઓ અને 998 જુનિયર ક્લાર્કને નોકરીઓ આપતા પત્રોનું વ્યક્તિગત રીતે વિતરણ કર્યું હતું.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્ર સમારોહ યોજાયો હતો, જ્યાં તલાટી કમ મંત્રીઓ અને જુનિયર ક્લાર્ક સહિત અંદાજે 4500 ઉમેદવારોએ તેમના સત્તાવાર નિમણૂક પત્રો મેળવ્યા હતા.












Click it and Unblock the Notifications
