#BreakingNews: 3 ગુજરાતીઓને મળ્યું મોદીની કેબિનેટમાં સ્થાન
નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આજે વિસ્તરણ થયું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલ શપથ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાજરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 19 નવા નેતાઓને કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે. જેમાં પુરુષોત્તમ રૂપાલાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નોંધનીય છે કે પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટ મંત્રી બનાવવાની ચર્ચાઓ જોરો પર હતી પણ તેમને રાજ્ય મંત્રીનું પદ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે કેબિનેટના આ વિસ્તારમાં ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ જેવા કે અમિત શાહ તથા કેબિનેટના તમામ મોટા નેતાઓ જેવા કે અરુણ જેટલી, નીતિન ગડકરી અને રાજનાથ સિંહે હાજરી આપી હતી.
પુરુષોત્તમ રૂપાલા સિવાય જસવંત સિંહ ભાભોર અને મનસુખ માંડવિયાને પણ મોદીની કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રકાશ જાવડેકર, વિજય ગોયલ, રામદાસ અથવાલે, એમ.એન.પાંડેને પણ આ કેબિનેટ વિસ્તરણ બાદ કેબિનેટમાં જોડવામાં આવ્યા છે.