ડાકોર મંદિરમાં નાસભાગ મચતાં એકનું મોત, 3 ઘાયલ
ગાંધીનગર, 27 માર્ચ: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડજીના દર્શનાર્થે પદયાત્રા કરી આવી રહ્યાં છે. હોળી પર્વ ટાણે મંગળવારે સવારે ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં વહેલી સવારે પાંચ વાગ્યે રેલીંગ તૂટી પડતાં નાસભાગ મચી હતી જેમાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું. જ્યારે ત્રણ શ્રદ્ધાળુઓને ગૂંગળામણ થતાં પ્રાથમિક તબક્કે ડાકોરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત મુબજ આજે ગઇકાલે ફાગણી પૂનમે ડાકોરના મંદિરમાં રણછોડરાયનાં દર્શન માટે ગત રોજથી મોટી ભીડ દેખાઈ રહી હતી. રણછોડરાયજીના મંદિરમાં સવારે પાંચ વાગ્યે કરવામાં આવતી આરતીમાં ભાગ લેવા રાતથી જ ભક્તોની ભીડ જામી ગઇ હતી.
આજે સવારે પ-૦૦ વાગ્યે જ્યારે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં કે તુરત જ મંદિરમાં પ્રવેશવા માટે શ્રદ્ધાળુઓએ ભારે ધક્કામુક્કી કરતાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં ગૂંગળામણના કારણે એક શ્રદ્ધાળુનું મંદિરના પરિસરમાં જ મોત થયું હતું અને અન્ય બે શ્રદ્ધાળુઓને ગૂંગળામણના કારણે ગંભીર અસર થતાં બંનેને ડાકોરની હોસ્પિટલમાં અને ત્યારબાદ બપોરે એક વ્યક્તિની તબિયત વધારે બગડતાં તેને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ સંદર્ભે ડાકોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.

દુર્ઘટના બાદ ભક્તો માટે મંદિરમાં દર્શનનો સમય વધારાવવામાં આવ્યો હતો. બપોરે ૧.૩૦ ની જગ્યાએ ર.૩૦ વાગ્યે દર્શન બંધ કરાયા હતા. રાતે ૮.૩૦ ની જગ્યાએ ૯.૩૦ વાગ્યે મંદિર બંધ કરાયું હતું. પોલીસે સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા ફીટ કર્યા હતા. આજે વહેલી સવારે ધક્કામુક્કીની દુર્ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હશે. જેથી જો આ સીસીટીવી ફુટેજની ચકાસણી કરાશે તો સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ 18 વર્ષ પહેલાં ડાકોર મંદિરના પટાંગણમાં ધુળેટીની પૂનમે ભાગદોડ થઈ હતી .જેમાં અમદાવાદના 6 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
