પાટણઃ વિદ્યાર્થી બસ પલટતાં એકનું મોત, સાતની હાલત ગંભીર

મળતી માહિતી અનુસાર, સાંતલપુર પાસે આવેલી ઉત્તર બુનિયાદી સ્કૂલમાં અભ્યાસાર્થે જતી વિદ્યાર્થિનીઓની સહાયતા માટે એક ખાનગી બસની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જે વિદ્યાર્થિનીઓને લઇ જતી હતી અને મુકી જતી હતી. આજ રોજ રાબેતા મુજબ એ બસ વિદ્યાર્થિનીઓને લઇ જઇ રહી હતી, તે વેળા અચાનક જ બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જો કે, બસ પલ્ટી ખાવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે, આ તંત્રની બેદરકારી છે, કારણ કે વિદ્યાર્થિનીઓનો લઇ જવા માટે સરકારી બસ નહીં મુકતા એક એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ પ્રક્રિયા હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે.












Click it and Unblock the Notifications
