Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાધ્વી જયશ્રીગિરી વિરુદ્ધ વધુ એક ખંડણીની ફરિયાદ

સાધ્વી જયશ્રીગિરીની સામે કુલ 5 ફરિયાદો નોંધાઇ છે. જાણો સાધ્વીની કાળી કુંડળી વિષે વિગતવાર અહીં.

પાલનપુરના મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રીગિરી સામે હાલ રોજ રોજ નવા નવા ખુલાસા બહાર આવી રહ્યા છે. 5 કરકોડના સોનાની છેતરપીંડીમાં જ્યાં સાધ્વી પર પ્રોહિબિશનના ગુનામાં કેસ ચાલી જ રહ્યો છે. ત્યાં જ તેમની પર અન્ય એક ફરિયાદ પણ નોંધાઇ છે. જે બાદ અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં જ સાધ્વી જયશ્રીગિરી સમક્ષ 5 અલગ અલગ ગુનામાં કેસ દાખલ થયો છે. નોંધનીય છે કે સાધ્વી પર છેતરપીંડીનો કેસ દાખલ થતા જ તેમને મુક્તેશ્વર મઠની બેઠક પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ આ તમામ કેસ પર હાલ તપાસ ચલાવી રહી છે.

sadhvi


વધુ એક ફરિયાદ
પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે દર્શન જોષી નામના વ્યક્તિએ સાધ્વી જયશ્રીગિરી વિરુદ્ધ વધુ એક ખંડણીની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ દોઢ વર્ષ પહેલાં સાધ્વી અને મળતીયાઓએ તેને ડરાવ્યો હતો. અને રિવોલ્વરની અણીએ પૈસા માંગી ધમકીઓ આપી પૈસા પડાવ્યા હતા. એટલું જ નહીં દર્શનને સાધ્વીના ત્રાસથી પાલનપુર છોડી મુંબઈ ભાગવું પડ્યું હતું.

બીજી ફરિયાદ

તો બીજી તરફ સાધ્વી સામે વડગામ પોલીસ મથકે પણ વધુ એક ફરિયાદ વ્યાજ ખોરીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ધાકધમકીથી 8.50 લાખ પડાવ્યા હતા તેવું જણાવવામાં આવ્યું છે. આ કેસમાં સાધ્વીના મળતીયાઓ દ્વારા કોરા ચેક અને બળજબરીથી સ્ટેમ્પ પર સહી કરાવી હતી પત્ની અને દીકરા ને ઉપાડી જવાની ધમકી આપવામાં આવી હતી. સાધ્વી જયશ્રી ગિરી અને ચિરાગ રાવલ વિરુદ્ધની આ ફરિયાદમાં સાધ્વી સામે કાયદાનો ગાળિયો કસાયો છે. નોંધનીય છે કે જિલ્લામાં સાધ્વી સામે 5 ગુના દાખલ થયા છે. સાધ્વી હાલ પ્રોહીબીશનના ગુના માં 2 દિવસના રિમાન્ડ પર છે.
પુછપરછ દરમિયાન ખુલાસા
નોંધનીય છે કે પોલીસ રિમાન્ડ દરમ્યામ સાધ્વીએ કર્યો ખુલાસો છે તેણે ન્યુ દાગીના જવેલર્સમાંથી 5 કરોડનું સોનુ ખરીદ્યું હતું. અને વધારાનું સોનુ ફરાર આરોપી દક્ષ પાસે છે. પોલીસે સાધ્વી પાસે મળેલા નાણાં મામલે IT ને પણ જાણ કરી છે. આયકર વિભાગ સિવાય સાધ્વી પાસે મળેલા નાણાંને લઈ મની લોન્ડરિંગ મામલે ED ને પણ કરવામાં જાણ કરવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમાં સાધ્વીના નાણાં મામલે ED પણ તપાસ કરી શકે છે.
સાધ્વીના ચેલાઓ
સાધ્વીના છેતરપિંડી મામલો ચિરાગને લઈ પોલીસ અમદાવાદ તપાસ અર્થે ગઇ હતી. સાધ્વી અને ચિરાગ 16 કિલો સોનુ લઇ અમદાવાદ પહોચ્યાં હતા, તે ઘટનાનું આખું રિરન્ટ્રક્શન પોલીસ હવે ચિરાગ પાસે કરાવશે. ચિરાગ રાવલ સાધ્વી કેસમાં પોલીસ માટે સૌથી મહત્વની કડી છે. નોંધનીય છે કે ચિરાગ સાધ્વીના અનેક ગુનાનો સાથીદાર અને સહયોગી રહ્યો છે. અને આ સિવાય અમદાવાદનો દક્ષ પરમાર, ગાંધીનગરનો ધર્મેન્દ્ર સિંહ ચાવડા જેવા સાધ્વીના અનેક સાગરિતો રહી ચૂક્યા છે. જેના નામ પોલિસ તપાસમાં એક પછી એક બહાર આવી રહ્યા છે.
વ્યાજખોરીના ધંધે માલામાલ
હાલ જે તપાસ પોલિસ દ્વારા કરવામાં આવી છે તે પરથી એક વાત સ્પષ્ટ થઇ છે કે સાધ્વી જયશ્રીગિરી અને તેમના સાગરિતો વ્યાજખોરીના ગોરખ ધંધો ચલાવી માલામાલ થઇ રહ્યા હતા. ત્યારે પોલિસ હાલ તો આ અંગે વધુ તપાસ કરી રહી છે પણ આવનારા દિવસોમાં આ અંગે વધુ ચોંકવનારા ખબરો આવી શકે તેમ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X