પ્રાકૃતિક પદાર્થો અને પોષક તત્વોથી સભર ખાન-પાનની ટેવ અનુસરવી જોઈએ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, કુદરતે આપેલા પ્રાકૃતિક પદાર્થો અને પોષક તત્વોથી સભર ખાન-પાનની ટેવ અનુસરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'બેક ટુ બેઝિક'નો જે મંત્ર આપ્યો છે તે આપણને ભારતની ભાતીગળ ભોજન પ્રથાઓ અને વ્યંજનો તરફ ફરી કેન્દ્રિત થવાનું દિશાસૂચન કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીનદયાળ શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્ષેત્રીય પોષણ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'પોષણ ઉત્સવ- કોફી ટેબલ પુસ્તક'નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પોષણની ભારતીય પરંપરા વિષય પર તૈયાર કરાયું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ આપણને ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવાનું માર્ગદર્શન હંમેશા આપ્યું છે.
સ્વચ્છતા અભિયાન, હર ઘર શૌચાલય, સૌર ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ, કેચ ધી રેન - જળ સંચય, 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ, શ્રી અન્નનો ભોજનમાં સમાવેશ જેવી નાની છતા ખૂબ જ અસરકારક અને અગત્યની બાબતો પર દેશનું દિશાદર્શન તેમણે કર્યું છે.

મુખ્યમંત્રીએ પરંપરાગત ભોજન વિજ્ઞાન અને ભારતીય વ્યંજનોનું મહત્વ સમજાવતા કહ્યું કે, ચોમાસા દરમિયાન ઉપવાસ કરવાની વાત દરેક ધર્મમાં કહેવાઈ છે. વર્ષા ઋતુમાં પાચનશક્તિ મંદ હોય છે ત્યારે ઉણોદરી - મીતાહાર પણ એટલો જ જરૂરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ આપણને ઋતુ પ્રમાણેનું આહાર લેવાનું શીખવે છે, સ્વાદ માટે નહીં પરંતુ પોષણ અને સ્વાસ્થ્ય માટે ભોજન લેવાની હિમાયત આપણી ધાર્મિક પરંપરાઓ અને તહેવારો કરે છે.
તેમણે ઉમેર્યું કે, આપણા મંદિરો, ધાર્મિક પર્વમાં અપાતા પ્રસાદમાં પણ પોષણનું ધ્યાન રાખવામાં આવે છે. ભારતીય પરંપરાઓમાં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક બની સમાંતર ચાલતા હોવાનો આ પુરાવો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્તમાન સમયમાં ભૌતિકતા ઉપર વધારે ભાર અપાય છે, સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન અપાતું નથી. 'પહેલું સુખ તે જાતે નર્યા', આ કહેવત અનુસરવાની જરૂર છે. શરીર સ્વસ્થ હશે તો જ ભૌતિક સુખ સુવિધાઓને માણી શકાશે.
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ ભોજનમાં પોષણના મહત્વ વિશે વિસ્તૃત સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હાલ વધતી જતી બીમારીઓ વચ્ચે આપણા સ્વાસ્થ્યને જો સારું રાખવું હશે તો પોષણ વાળો ખોરાક લેવો જ હિતાવહ છે.
વધુમાં, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીને મળેલા 5 + રેટિંગ બદલ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ મુખ્યમંત્રી તથા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે દીનદયાળ શોધ સંસ્થાનના પ્રધાન સચિવ અતુલ જૈન, ગિરીશ શાહ, ભરત પંડ્યા, ડૉ. મીના કુમારી તથા દીનદયાળ શોધ સંસ્થાન સાથે જોડાયેલા સભ્યો અને વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
