PM મોદી પછી મીરા કુમાર છે, ગાંધી આશ્રમની મુલાકાતે
રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર તેવા મીરા કુમાર આજે છે ગુજરાતની મુલાકાતે. તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લઇને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર પણ જ્યારે ગુજરાતમાં છે ત્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર તેવા મીરા કુમારે પણ શુક્રવારે અમદાવાદના ગાંધી આશ્રમથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નામાંકન ભર્યા બાદ મીરા કુમારે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે તે 30 જૂને અમદાવાદના સાબમતી આશ્રમની મુલાકાત લઇ તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. સાથે જ વિવિધ રાજ્યોમાં ફરી વિધાયકોની સાથે મુલાકાત પણ કરશે.

ત્યારે મીરા કુમારે આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ચરખો પણ ચલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી મીરા કુમાર લડી રહ્યા છે તો બીજી તરફ એનડીએ તરફથી રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની દાવેદારી દેખાડી રહ્યા છે. મીરા કુમાર અને રામનાથ કોવિંદની જાતિને લઇને જ્યારે મીડિયામાં ચર્ચાઓ થઇ હતી ત્યારે મીરા કુમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જાતિ આધારિત ચૂંટણી ન લડાવી જોઇએ પણ લાયકાત આધારિત ચૂંટણી લડાવી જોઇએ.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
