PM મોદી પછી મીરા કુમાર છે, ગાંધી આશ્રમની મુલાકાતે
રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર તેવા મીરા કુમાર આજે છે ગુજરાતની મુલાકાતે. તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લઇને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર પણ જ્યારે ગુજરાતમાં છે ત્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર તેવા મીરા કુમારે પણ શુક્રવારે અમદાવાદના ગાંધી આશ્રમથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નામાંકન ભર્યા બાદ મીરા કુમારે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે તે 30 જૂને અમદાવાદના સાબમતી આશ્રમની મુલાકાત લઇ તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. સાથે જ વિવિધ રાજ્યોમાં ફરી વિધાયકોની સાથે મુલાકાત પણ કરશે.

ત્યારે મીરા કુમારે આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ચરખો પણ ચલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી મીરા કુમાર લડી રહ્યા છે તો બીજી તરફ એનડીએ તરફથી રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની દાવેદારી દેખાડી રહ્યા છે. મીરા કુમાર અને રામનાથ કોવિંદની જાતિને લઇને જ્યારે મીડિયામાં ચર્ચાઓ થઇ હતી ત્યારે મીરા કુમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જાતિ આધારિત ચૂંટણી ન લડાવી જોઇએ પણ લાયકાત આધારિત ચૂંટણી લડાવી જોઇએ.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
