નિશાચર પક્ષી ઘુવડ કેમ થઇ રહ્યું છે ગુજરાતમાંથી લુપ્ત

જો કે, ખુબ ઓછા પ્રકાશમાં પણ જોઈ શકતું આ પક્ષી રાત્રીના અંધારામાં આબાદ શિકાર કરી શકે છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે, મનુષ્યના મૃત્યુની ખબર સૈા પ્રથમ ઘુવડને પડે છે જેથી તે નજીકના ઝાડ પરથી અશુભ સંદેશ બોલે છે. ભારત વર્ષમાં ઘુવડની અનેક જાત જોવા મળે છે. જેમાં મુખ્ય જાતી મુઆ અને ઘુગ્ઘૂ છે. મુઆ જાતીનો ઘુવડ પાણીની નજીક જ્યારે ઘુગ્ઘૂ જાતીના ઘુવડો ખંડેર અને ઝાડ પર રહે છે. ઘુવડનું મુખ્ય ભોજન ચકલી ઉંદર, દેડકા, માછલી છે. તેમનો પ્રજનન કાળ ડીસેમ્બરથી માર્ચ સુધીનો હોય છે.
ઘુવડ જંગલ, વિરાન ઝાડ અને મોટા વૃક્ષોમાં સંતાઈ આશ્રય લે છે પરંતુ રાત્રી સમયે આ નિશાચર પક્ષી ઘુગ્ઘૂ ઉઉઉની મનહુસ કહી શકાય તેવા અવાજથી તેની હાજરી બતાવે છે. પર્યાવરણ મંત્રી જયરામ નરેશે કહ્યું હતું કે ફિલ્મ હૈરી પોટરથી આકર્ષીત થઈ બાળકો પોતાના માતા-પિતા પાસે અસલ જીવીત ઘુવડની માંગ કરતાં હોઈ ઘુવડની સંખ્યામાં ચિંતા જનક રીતે ઘટાડો થઈ રહ્યો છે.
જ્યારે બીજી તરફ ગંગા સભાના અધ્યક્ષ રામકુમ મિશ્રાએ જાહેર કરેલ છે કે ઘુવડની પૂજા વિના લક્ષ્મીની પુજા થઈ શકતી નથી કેમ કે ઘુવડ બનાવી પુજા કરવી યોગ્ય નથી અગર તે અનાયાશે મળી જાય તો તેની પુજા કરવી જોઈએ અથવા તેના પ્રતિક સ્વરૂપે લાકડા અથવા અન્ય ધાતુથી બનેલ યંત્રથી પુજા કરવી જોઈએ. આ વાતને અનુમોદન આપતાં આચાર્ય ચંદ્રકાંત ત્રિવેદીએ પણ કહેલ કે ઘુવડ અશુભ હોઈ શકે કેમ કે તે લક્ષ્મીજીનું વાહન છે જેથી ગૌતમ ગૌત્રના વંશજો આજે પણ ઘુવડની પુજા કરે છે.
આમ સામાન્ય લોકોમાં અશુભ મનાતું આ પક્ષી અનેકો રીતે શુભ હોવાનું શાસ્ત્રો વર્ણવે છે. ડીસામાં ભાગ્યે જ જોવા મળતું આ દુર્લભપક્ષી ઘાયલ અવસ્થામાં મળી આવતાં લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
