બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતના મૃતકો પ્રત્યે પીએમ મોદીઓ શોક વ્યક્ત કર્યો, 2 લાખની સહાયની પણ જાહેરાત
અમદાવાના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને બીજા 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર માર્ગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિને લઈને શોક વ્યક્ત કર્યો છે. આ સિવાય વડાપ્રધાને PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ એક્સ-ગ્રેશિયાની અને ઘાયલો 50 હજારની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

પીએમ કાર્યલયે ટ્વિટ કરીને જણાવ્યુ કે, અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર માર્ગ દુર્ઘટનાથી દુઃખી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi"
જણાવી દઈએ કે, ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારનું છોટા હાથી વાહન ટ્રક સાથે અથડાયુ હતુ. આ ઘટનામાં અત્યારસુધીમાં 10 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 5 મહિલાઓ, ત્રણ બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
