For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ સોશિયલ ડિસ્ટન્સ, લોક ડાઉન અસરકારક

ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ સોશિયલ ડિસ્ટન્સ, લોક ડાઉન અસરકારક

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ લોકડાઉન અમલીકરણ અસરકારક જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસની બિમારી અંગેનો ભય કે જાગૃત્તિ જે હોય, તેમ છતાં શહેર કરતાં પણ ખૂબ જાગૃત્તા સાથે ગ્રામજનો લોક ડાઉનની અમલવારી કરી રહ્યાં છે. નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં તા. ૨૪મી માર્ચથી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. લોક ડાઉન અંગેની સમજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિસ્તૃત રીતે સમજ આપી ગામના સરપંચ, તલાટી અને અન્ય અગ્રણીઓના સહકાર લઇ ગ્રામજનોને જાગૃત કર્યા હતા. આજે દેશ અને પોતાના ગામને આ મહાબિમારીથી બચાવવા માટે ધણી સારી રીતે ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં લોક ડાઉનની અમલવારી થઇ રહી છે.

દૂધમંડળીમાં પણ જોવા મળે છે સોશિઅલ ડિસ્ટન્સ

દૂધમંડળીમાં પણ જોવા મળે છે સોશિઅલ ડિસ્ટન્સ

સવારના સમયે પોતાના પશુઓને ઘાસચારો નાખતાની સાથે જ સ્વચ્છતાની સાથે ગામની મહિલાઓ પોતાની દૈનિક પ્રવૃત્તિમાં જોડાઇ જાય છે. સવાર - સાંજ બંને ટાઇમ દૂધ મંડળીમાં દૂધ ભરાવવા માટે જતી મહિલાઓ અને પુરૂષો સુવ્યસ્થિતિ રીતે સોશિઅલ ડિસ્ટન્સ રાખી લોક ડાઉનની અલમવારી કરી રહ્યાં છે અને ક્રમનુસાર દૂધમંડળીમાં દૂધ ભરાવે છે.

ખેતરના કામમાં પણ રાખી રહ્યા છે સાવચેતી

ખેતરના કામમાં પણ રાખી રહ્યા છે સાવચેતી

નોવેલ કોરોના વાયરસથી ડરવાની નહિ, પણ માત્ર જાગૃત્તિની જરૂર છે, તે વાત સારી રીતે સમજી ચૂકેલા ગ્રામજનો પોતાની ખેતી પ્રવૃત્તિ પણ ખૂબ જ સારી રીતે કરી રહ્યાં છે. દરરોજ સવારના પશુઓનો ધાસ ચારો લેવા જઇ રહ્યાં છે. તે ઉપરાંત ઘઉંની સિઝન ચાલતી હોય ખેતરમાંથી ઘઉંને વાઢી ખળામાં લાવીને ઘઉંની બોરીઓ પણ સંક્રમણ ન થાય તે રીતે કામ કરીને ઘઉં લઇ રહ્યાં છે. તેની સાથે ગાંધીનગર જિલ્લામાં શાકભાજીની ખેતી સારી થતી હોવાથી ખેડૂતો પોતાના ખેતરમાં નિયમિત રીતે શાકભાજી લે છે. પોતે લીધેલા શાકભાજીનું વિતરણ દરેક તાલુકા મથકોના શાકભાજીના હોલસેલ માર્કેટમાં કરી રાબેતા મુજબના ભાવ મેળવી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કરિયાણાની પણ નથી અછત

ગ્રામ્ય વિસ્તારોમાં કરિયાણાની પણ નથી અછત

સમગ્ર દિવસ દરમ્યાન ગ્રામકક્ષાએ દૂધ-દહી અને કરિયાણાની દુકાનો નિયમોનુસાર ખુલ્લી રહે છે. બપોરબાદ મોટા ભાગનું ગ્રામ્ય જીવન શાંત પડી જાય છે. સાંજ પડે ચોરે બેસતા લોકો પણ નજરે પડતા નથી. સૌ કોઇ પોતાની જાત અને ગામની ચિંતા કરે છે. અને કોરોનાને જાકારો આપવા ઘરમાંજ સુરક્ષિત રહે છે.

રાજ્ય સરકારનો મધ્યમ વર્ગ માટે મફત અનાજ આપવાનો મહત્વનો નિર્ણયરાજ્ય સરકારનો મધ્યમ વર્ગ માટે મફત અનાજ આપવાનો મહત્વનો નિર્ણય

English summary
poeples are working usually and obeying lockdown effectively in gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X