For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાંઇ ગુફામાં, આસારામ જેલમાં મનાવશે દિવાળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 27 ઓક્ટોબર: કિશોર સહિત ત્રણ મહિલાઓ સાથે યૌન શોષણના કેસમાં ફસાયેલા આસારામ બાપૂના સમર્થકો વારંવાર બૂમો પાડી રહ્યાં છે કે તેમના બાપૂ નિર્દોષ છે, પરંતુ સવાલ એ પેદા થાય છે કે જો ખરેખર નિર્દોષ છે, તો તેમના પુત્ર નારાયણ સાંઇ ફરાર કેમ છે. નારાયણ સાંઇને પકડવા માટે પોલીસ ઠેર ઠેર રેડ પાડી રહી છે. એવામાં લાગી રહ્યું છે કે આગામી દિવાળીનો તહેવાર નારાયણ સાંઇ કોઇ ગુફામાં સંતાઇને મનાવશે, જ્યારે તેમના પિતા જેલમાં જ મનાવશે.

બાતમીદારોના આધાર પર નારાયણ સાંઇના જે ઠેકાણાઓ પર પોલીસે રેડ પાડી તે સ્થળેથી દારૂની બોટલો તથા કેટલીક અન્ય વસ્તુઓ મળી આવી છે, જેથી લાગે છે કે નારાયણ સાંઇની ઐય્યાશી પણ ઓછી નથી. પોલીસે આ બધુ નારાયણ સાંઇના ખાસ સેવાદારના ઘરે રેડ દરમિયાન મળી હતી. પરંતુ પોલીસે અહીં પહોંચતાં પહેલાં જ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સાચું કહીએ તો પોલીસ અને નારાયણ સાંઇ વચ્ચે બિલાડી-ઉંદરની રમત ચાલી રહી છે.

asaram-bapu-narayan-sai

રાજસ્થાન તથા ગુજરાત પોલીસની અરજી પર હરિયાણા પોલીસે પણ નારાયણ સાંઇ વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરી છે. હરિયાણા બધા જિલ્લાઓની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. એલર્ટ કરતાં એમ કહેવામાં આવ્યું છે કે નારાયણ સાંઇ એક અપરાધી છે. જેની સૂચના મળતાં જ તાત્કાલિક કંટ્રોલરૂમને જાણ કરવામાં આવે. એક તરફ પુત્ર ફરાર છે, તો બીજી તરફ આસારામની કસ્ટડી 6 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. એટલે કે આસારામ આ વર્ષે જેલમાં જ દિવાળી મનાવશે.

English summary
Police teams of Rajasthan as well as Gujarat are still hunting for absconded son of Asaram Bapu, Narayan Sai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X