મોદીની તાજપોશીમાં આ મહાનુભાવોએ આપી હાજરી

રાજકીય મોભીઓઃ રાજનાથ સિંહ, નીતિન ગડકરી, એલ કે અડવાણી, વસુંધરા રાજે સિંધિયા, સુરેન્દ્ર પટેલ (કાકા), અનંત કુમાર, કલરાજ મિશ્ર, મનસે સુપ્રીમો રાજ ઠાકરે, વેંકૈયા નાયડુ, પ્રકાશ જાવડેકર, મુખ્તાર અબ્બાસ નકવી, સી પી માથુર, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભાજપના સાંસદ નવજોત સિધ્ધુ, અશોક શિઘલ, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા, ઓમપ્રકાશ ચૌટાલા સ્ટેડિયમ, પત્રકાર અને ભાજપના પ્રધાન રહી ચૂકેલા અરૂણ શૌરી, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, ભાજપના રાષ્ટ્રીય સ્તરના અગ્રણીઓઓ.
અન્ય અગ્રણીઓઃ નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી, ભાઇ પ્રકાશ મોદી, સહારા જૂથના વડા સુબ્રોતો રૉય
ફિલ્મી હસ્તીઓઃ વિનોદ ખન્ના, સુરેશ ઑબેરૉય, વિવેક ઑબેરૉય, કિરણ ખેર. દિશા વાકાણી, આશિત મોદી, દિલિપ જોશી સહિતની તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ. દર્શન જરીવાલા, જેડી મજેઠિયા.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શપથવિધિ યોજાઇ છે. ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલજી મુખ્યમંત્રી પદના સૌગંદ લેવડાવશે. અંદાજે એક લાખની બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌપ્રથમવાર 7 ઑક્ટોબર, 2001ના દિવસે શપથ લીધા હતા. ત્યારથી અત્યાર સુધીમાં તેમણે ગુજરાતના વિકાસને એક નવા આયામ પર પહોંચાડ્યું છે. હવે મુખ્યમંત્રી દેશમાં વિકાસની નવી સિધ્ધિઓ સર કરવા માંગે છે. ત્યારે લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને આ શપથવિધિનું ખૂબ મહત્વ છે.












Click it and Unblock the Notifications
