For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સાથે 45 વર્ષ જૂનો સંબંધ છે: રાષ્ટ્રપતિ કોવિંદ

ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિએ જશદણ ખાતે ઘેલા સેમનાથની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ રાજકોટમાં સૌની યોજનાના 2જા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો.

By Shachi
|
Google Oneindia Gujarati News

દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ હાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસના બીજા દિવસે તેમણે સૌપ્રથમ જશદણ નજીક આવેલ ઘેલા સોમનાથના મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં પૂજા-અર્ચના દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ પણ તેમની સાથે મંદિરમાં હાજર રહ્યા હતા. ત્યાર બાદ રામ નાથ કોવિંદે રાજકોટ ખાતે સૌની યોજનાની લિંક-4 બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો.

president kovind at rajkot

રાજકોટ ખાતે સભાનું સંબોધન કરતાં રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે, ગુજરાત મારું બીજું ઘર છે, ગુજરાત સાથે મારે 45 વર્ષ જૂનો સંબંધ છે. અહીંના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. મેં આજે શંકર ભગવાનના મંદિરે દર્શન કર્યા એનાથી મને ધન્યતાની લાગણી અનુભવાય છે. મેં ભગવાન શંકરને ગુજરાતના લોકોને પાણી અને સમૃદ્ધિ મળી એવી પ્રાર્થના કરી હતી. ગુજરાત સરકાર જળ સંસાધનનો પૂરતો ઉપયોગ કરી રહી છે.

president kovind at rajkot

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રવિવારે બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઇ તેઓ મહેસાણા પહોંચ્યા હતા. મહેસાણા ખાતે જૈન મંદિરની મુલાકાત લઇ તેઓ રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા. સોમવારે સાંજે રાજકોટથી જ તેઓ હવાઇ માર્ગે દિલ્હી જવા રવાના થશે.

English summary
President Ram Nath Kovind on his 2 days Gujarat visit, President lays foundation of SAUNI Yojana Link 4, Ph 2.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X