Rahul in Gujarat: રાહુલ ગાંધીએ ચોટીલામાં કર્યા દર્શન
રાહુલ ગાંધીએ ચોટીલા ખાતે માતાજીના દર્શન કર્યા. આજે રાહુલ ગાંધીના ગુજરાત પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે જાણો આ સમાચાર અંગે વધુ અહીં.
રાહુલ ગાંધીએ આજે ચોટીલા ખાતે માતાજીના દર્શન કરીને તેમના ત્રીજા અને અંતિમ દિવસના પ્રવાસની શરૂઆત કરી હતી. નોંધનીય છે કે સતત ત્રણ દિવસથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. અહીં તેઓ એક પછી એક ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે આજે રાહુલ ગાંધીની આ નવસર્જન યાત્રામાં તે ખોડલધામ, જસદણ, ચોટીલાની મુલાકાત લેશે. સાથે તેઓ આજે જનમેદનીને પણ સંબોધન કરશે. છાબરી ગામે રાહુલ ગાંધીએ તેમની આ યાત્રા દરમિયાન મહિલાઓના પ્રશ્નોને સાંભળ્યા હતા. તો વધુમાં રાજકોટમાં મંગળવારે રાહુલ અને પાસ કન્વીનર હેમંગ પટેલ પણ એક બીજા સાથે બેઠક કરીને પાટીદાર પ્રશ્નો પર ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસ માટે રાહુલ ગાંધીનો આ ચૂંટણી કાર્યક્રમ ખૂબ જ મહત્વ ધરાવે છે. અને રાહુલે પણ આ યાત્રા દરમિયાન પાટીદારોને છાવર્યા હતા. વધુમાં તે મુસ્લિમ સમુદાયના લોકોને પણ મળ્યા હતા. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જ જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.