ગુજરાતના પ્રથમ તબક્કા માટે રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં મેદાને
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ કોગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્ય છે. તેને લઇને તમામ પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી દિધી છે. સોમવારે ભાજપ, કોગ્રેસન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ કોગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્ય છે. તેને લઇને તમામ પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી દિધી છે. સોમવારે ભાજપ, કોગ્રેસના અને આપના દિગ્ગજ નેતા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે. તો કોગ્રેસના નેતા રાહુલ ગાંધી રાજકોટ અને સુરતમાં જંગી સભાને સંબોધન કરીને પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. બીજી તરફ આપના નેતા અરવિંદ કેટરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આજે ચુટણી પ્રચાર કરશે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સુરત જિલ્લાની બેટકો પર ચૂંટણી પ્રચાર કરશે. તો અમિત શાહ સૌરાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશના મુખ્યમત્રી યોગી આદિત્ય નાથ વડોદરા જિલ્લાના નસવાડી, મહેમદાવાદ અને પોરબંદરમાં ચૂંટણી પ્રચાર કરશે. તો પરસોત્તમ રૂપાલા જામનગરમાં ચૂટણી પ્રચાર કરશે.
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિદ કેજરીવાલ અમરેલીમાં રોડ શો કરશે તો પંજાબના મુખ્યંમંત્રી ભગવંત માન પણ ઉમરગામ, કપરાડા અને ધરમપુરમાં રોડ શો કરશે. તો આપના સાંસદ સંજય સિંહ જલાલપોર,મજુરા ચોર્યાસી, અને ઉંધનામાં ચૂટણી પ્રચાર કરશે. આપના યુવા નેતા રાઘવ ચડ્ઢા પણ ગુજરાતના રોકાણ કરીને ચૂંટમી પ્રચાર કરશે.