રાજકોટઃ 17 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર
ગુજરાતના રાજકોટમાં સગીરા પર દુષ્કર્મની એક ઘટના સામે આવી છે.
ગુજરાતના રાજકોટમાં સગીરા પર દુષ્કર્મની એક ઘટના સામે આવી છે. બનાવની વિગત એવી છે કે રાજકોટના નવાગામમાં 8 વર્ષની એક નાની બાળકી પર 17 વર્ષના કિશોરે બળાત્કાર કર્યો છે. આ કિશોર તેના ગામમાં જ રહેતો હતો અને બાળકીને કોઈ એકાંત જગ્યાએ લઈ જઈ તેણે તેના પર આ દુષ્કર્મ આચર્યુ. ઘટનાની જાણ થતાં જ પોલિસે આરોપીને પકડી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં બળાત્કારની સતત બીજી ઘટના સામે આવતા ચકચાક મચી ગઈ છે. રાજકોટના કુવાડવા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે 8 વર્ષની એક બાળકી એકલી જઈ રહી હતી. જેને જોઈને તેના ગામના જ 17 વર્ષના કિશોરે તેને વોકળામાં લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલિસે અપહરણ અને સગીરા પર બળાત્કાર કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલિસના જણાવ્યા મુજબ 8 વર્ષની બાળકી જતી હતી તે દરમિયાન સગીરે તેનો પીછો કર્યો હતો અને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક તેના પર બળાત્કાર કર્યો હતો. ગામના કોઈ વ્યક્તિએ પોલિસને જાણ કરતા પોલિસ તરત હરકતમાં આવી હતી અને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં સગીરા અને આરોપીનુ મેડીકલ ચેકઅપ કરાવી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.
મનોજ તિવારીને દિલ્લીના પ્રદેશ અધ્યક્ષ પદેથી ભાજપે હટાવ્યા