રાજુ કરપડાએ AAP છોડવાની જાહેરાત કરતા હંગામો, જાણો શું કહ્યું પાર્ટીએ?
ગુજરાત આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર ભડકો થયો છે. પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ અને કદાવર નેતા રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજુ કરપડાના જવાથી AAPને મોટો ફટકો પડ્યો છે. કરપડાએ પોતાનું રાજીનામું રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું હોવાનું સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે.

રાજુ કરપડાએ રાજીનામા પાછળ વ્યક્તિગત કારણો આપ્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ગોપાલ ઈટાલિયા સાથેની નારાજગીની ચર્ચાઓ તેજ બની છે. 2022માં તેમણે ચોટીલા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.
ખેડૂત નેતા તરીકેની ઓળખ ધરાવતા કરપડાએ ફેસબુક પોસ્ટ દ્વારા સમર્થકોનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે પક્ષને મજબૂત કરવા માટે પરિવારોનો ભોગ આપ્યો છે, પરંતુ હવે જવાબદારી નિભાવવી શક્ય નથી.
બીજી તરફ, ઈસુદાન ગઢવીએ આ રાજીનામા પાછળ ભાજપના દબાણની આશંકા વ્યક્ત કરી છે. ગઢવીએ આક્ષેપ કર્યો કે ભાજપ 'સામ, દામ, દંડ, ભેદ'ની નીતિ અપનાવીને વિપક્ષના નેતાઓને તોડી રહ્યો છે.
કોંગ્રેસ નેતા કરસનદાસબાપુએ આ મામલે કટાક્ષ કરતા જણાવ્યું કે AAPમાં સાચા ખેડૂત નેતાઓ ટકી શકતા નથી. તેમના મતે, જે નેતાઓ ખેડૂતોનું હિત ઈચ્છે છે તે આ પક્ષમાં લાંબો સમય રહી શકતા નથી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
