Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રામ મંદિર મુદ્દે ભાભી રિવાબા અને નણંદ નયનાબા સામ-સામે, કહ્યુ - ભક્તિ અને સંસ્કાર અમને ના શીખવાડો

Naynaba Jadeja And Rivaba Jadeja Dispute: આખું ભારત 22મી જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આ દિવસે અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. હાલમાં સમગ્ર ભારત 'શ્રી રામ'ની ભક્તિમાં ડૂબી ગયું છે, તો બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે.

કોંગ્રેસે અયોધ્યામાં આયોજિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને ઠુકરાવી દીધુ છે, જેની ભાજપ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. આ અંગે ગુજરાતના જામનગરના ભાજપના ધારાસભ્ય અને પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ પણ પ્રતિક્રિયા આપી છે.

rivaba-nayanaba

જોકે રિવાબાએ કોંગ્રેસનું નામ ન લીધું, પરંતુ તેમણે એ ચોક્કસ કહ્યું કે 'ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી અયોધ્યામાં આવવાના છે, આ ભક્તિની વાત છે અને આના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. આ કોઈ પાર્ટીની ઈવેન્ટ નથી, રાજકારણ અને સ્વાર્થથી ઉપર ઊઠીને દરેકે આ કાર્યક્રમમાં ખુશીથી ભાગ લેવો જોઈએ. આપણે ખુશ થવું જોઈએ કે આપણને ભગવાન શ્રી રામનું સ્વાગત કરવાની તક મળી છે પરંતુ અમુક લોકો તેમની હરકતો છોડતા નથી.'

રીવાબાના આ નિવેદન પર તેમના નણંદ અને કોંગ્રેસ પક્ષના નેતા નયનાબા જાડેજાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે સીધું તેમની ભાભીનું નામ લીધું ન હતું પરંતુ તેણે રીવાબાની ટિપ્પણી બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, 'અમુક લોકો આદર્શની વાતો કરે છે, અમારે તમારી પાસેથી ભક્તિ અને સંસ્કાર શીખવાની જરૂર નથી, પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ત્યારે જ થાય જ્યારે મંદિર પૂર્ણ થાય. શંકરાચાર્ય અને અન્ય લોકોએ તેનો બહિષ્કાર કર્યો છે, તે બધા ખોટા નથી, સત્ય તો એ છે કે તમારી પાસે મૂલ્યો નથી અને તેથી તમારા મોંમાંથી આ આદર્શો અને ધર્મની વાતો સારી નથી લાગતી.'

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર નયનાબા અને રીવાબાના આ મુદ્દા પર લોકો ઘણી મઝા લઈ રહ્યા છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે ભાભી અને નણંદ આ રીતે એકબીજા સાથે ઝઘડ્યા હોય, આ પહેલા પણ ઘણા મુદ્દાઓ પર તેમના વિવાદ હેડલાઇન્સમાં બન્યા છે.

નોંધનીય છે કે કોંગ્રેસે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને ફગાવી દીધું છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. બુધવારે કોંગ્રેસે આ સંબંધમાં એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે 'આ કાર્યક્રમ ભાજપ અને આરએસએસ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે, તેથી અમે આ કાર્યક્રમમાં ભાગ લઈશું નહીં.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X