જીલ્લા - તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો
ગાંધીનગર, 2 જુલાઇ : તાજેતરમાં ગુજરાતમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ ચૂક્યા છે. જેમાં પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં આગેવાની કરી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે.
જીલ્લા પંચાયતની ૩ સીટોની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં સાબરકાંઠા, મહેસાણા અને પોરબંદરનો સમાવેશ થાય છે. જેમાં ૦૧ (પોરબંદર) ભાજપ અને ૦૨ (સાબરકાંઠા, મહેસાણા) કોંગ્રેસની હતી. પરંતુ મોદી મેઝિકે આ ત્રણેય બેઠકોમાંથી કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા અને ત્રણેય બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. પેટા ચૂંટણીમાં ત્રણેય સીટ પર ભાજપનો વિજય થયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યમાં લોકસભાની 2 સીટો અને વિધાનસભાની 4 સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાનો ડંકો વગાડ્યો હતો. બે લોકસભાની સીટો પોરબંદર અને બનાસકાંઠા અને ચાર વિધાનસભાની સીટો ધોરાજી, જેતપુર, લિંબડી અને મોરવા હડફ માટે પેટાચૂંટણી થઇ હતી. આ તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો.
જિલ્લા પંચાયત (સાબરકાંઠા, મહેસાણા અને પોરબંદર જિલ્લાનું પરિણામ)
| જિલ્લા પંચાયતની સંખ્યા | બીજેપીએ કેટલી બેઠક જીતી | કોંગ્રેસે કેટલી બેઠક જીતી | બીજેપીની પહેલા કેટલી હતી બેઠક | કોંગ્રેસની પહેલા કેટલી હતી બેઠક |
| 3 | 3 | 0 | 1 | 2 |
તાલુકા પંચાયત (વલસાડ, સુરત, તાપી, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ યોજાઇ ચૂંટણી)
| તાલુકા પંચાયતની સંખ્યા | બીજેપીએ કેટલી બેઠક જીતી | કોંગ્રેસે કેટલી બેઠક જીતી | બીજેપીની પહેલા કેટલી હતી બેઠક | કોંગ્રેસની પહેલા કેટલી હતી બેઠક |
| 19 | 12 | 7 | 4 | 15 |
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા





Click it and Unblock the Notifications
