ખંભાતમાં જૂથ અથડામણ, 13 લોકો ઘાયલ, 25 ઘર-દુકાનો આગના હવાલે
ખંભાતમાં જૂથ અથડામણ, 13 લોકો ઘાયલ, 25 ઘર-દુકાનો આગના હવાલે
આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં રવિવારે બે સમુદાયો વચ્ચે અચાનક દંગા ભડકી જવાના કારણે 13 જેટલા લોકો ઘાયલ થઈ ગયા છે. બંને સમુદાયોની ઉત્તેજિત ભીડે એક બીજાના 25 જેટલા ઘર-દુકાનો અને વાહનોમાં આગ લગાવી દીધી હતી. એટલું જ નહિ આ બંને સમુદાયો વચ્ચે એક જ મહિનામાં સાંપ્રદાયિક સંઘર્ષની આ બીજી ઘટના છે.

અગાઉ 24 જાન્યુઆરીએ બંને સમુદાયો વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આણંદ જિલ્લાના કાર્યવાહક પોલીસ કમિશ્નર દિવ્ય મિશ્રા મુજબ રવિવારે અકબરપુરા વિસ્તારમાં બંને સમુદાયો વચ્ચે 24 જાન્યુઆરીએ દંગાને લઈ લડાઈ શરૂ થઈ ગઈ, જે આંતરીક મારપીટ અને પથ્થરમારામાં બદલી ગઈ.
પોલીસે જણાવ્યું કે રમખાણો ભડકવા પાછળનું અસલી કારણની તપાસ થઈ રહી છે. હાલ સ્થિતિને નિયંત્રણમાં કરી લેવામાં આવી છે અને 46 લોકોને કસ્ટડીમાં લીધા છે. વિસ્તારમાં 100 જેટલા પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
