બેનના નિર્ણયો પર સાહેબની કાતર; ટોલ ટેક્સ, બદલી હવે શું?
ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન તેમનો કાર્યભાર છોડતા પહેલા જે જે નિર્ણયો લીધા હતા તેને એક પછી એક નવા મુખ્યમંત્રી તેવા વિજય રૂપાણી પોતાની રીતે બદલી રહ્યા છે. અને કહેવાય છે ને કે આવું એક વાર કે બે વાર બન્ને તો ચલાવી પણ લેવાય પણ વારંવાર થાય તો શંકા થાય કે આવું કેમ?
હાલમાં જ વિજય રૂપાણીએ રાજ્યમાં કુલ 5 ACS અને 10 IAS અધિકારીની બદલી કરી છે. જેમાં વિપુલ મિત્રાને બંદરો વાહનવ્યવહારને બદલે પીએસ વાહનવ્યહાર તથા પ્રેમકુમાર તનેજાને ગૃહ વિભાગના એસીએસના સ્થાને ઉદ્યોગ અને ખાણ વિભાગના ACS તરીકે મૂકવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને તેમની નિવૃત્તી પહેલા 15 ઓગસ્ટ 2016ના રોજ ચાર પૈડાની ગાડીઓ તથા નાના વહાનોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવાની વાત કરી હતી. પણ વિજય રૂપાણી આ નિર્ણય પર પણ યુર્ટન લેતા કહ્યું હતું કે આટલી જલ્દી આ નિર્ણયને અમલમાં મૂકવો શક્ય નથી.

એટલું જ નહીં સાતમા પગાર પંચને ગુજરાતમાં લાગુ પાડવા બાબતે રૂપાણીએ આવી જ વાત કરી હતી કે હાલ શક્ય નથી પણ જલ્દી અમે તેને અમલમાં મુકશું. ત્યારે વારંવાર બનતી આવી વાતો શું તે વાત પર ઇશારો કરે છે કે બેનના નિર્ણયો પર સાહેબ કાતર ચલાવે છે? કે પછી ખરેખરમાં નવી સરકાર સામે હાલ નવા પડકારો છે તે માટે આવું બધુ થઇ રહ્યું છે?
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
