સાબરડેરી વિવાદમાં આપની એન્ટ્રી, અરવિંદ કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં મોડાસામાં મહાપંચાયત યોજાશે
સાબરડેરી સાથે જોડાયેલા વિવાદમાં હવે આમ આદમી પાર્ટી (AAP) એન્ટ્રી થઈ છે, જે પશુપાલકોના મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરી છે.
પશુપાલકોના હિતોનું રક્ષણ કરવા AAP એક મહાપંચાયતનું આયોજન કરી રહી છે, જેમાં દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહેશે.

આ મહાપંચાયત આગામી 23 જુલાઈએ મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં કેજરીવાલ અને માન પશુપાલકોની પાંચ મુખ્ય માંગણીઓને પોતાનું સમર્થન આપશે.
આ મામલે સાગર રબારી અને રાજુભાઈ કરપડાએ ડેરી સંચાલકો પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે પશુપાલકોના હકના પૈસાનો ઉપયોગ ભાજપના તાયફા પાછળ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
આ ઘટનાક્રમ દર્શાવે છે કે સાબરડેરીનો વિવાદ હવે રાજકીય સ્વરૂપ લઈ રહ્યો છે, જેમાં AAP પશુપાલકોના અવાજને બુલંદ કરવા પ્રયાસ કરી રહી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
