સરબજીત પર હુમલો એ કેન્દ્ર સરકારની વધુ એક નિષ્ફળતાઃ મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે, પાકિસ્તાનની જેલમાં સરબજીત સિંહ પર જાનલેવા હુમલો યુપીએ સરકારની વધુ એક નિષ્ફળતાને ઉજાગર કરે છે. મોદીએ કહ્યું છે કે, યુપીએ સરકાર પોતાને બચાવવામાં લાગેલી છે. દેશને બચાવવા માટે સરકાર પાસે સમય નથી. મોદી આજે સરબજીત પર થયેલા હુમલાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં હતા.
તેમણે કહ્યું કે, ઇટાલિયન મરિન્સ અંગેની કાયદાકિય લડાઇ હોય, ભારતીય સૈનિકોના શિરચ્છેદ હોય, ચીનની સીમા પર ઘુષણખોરી હોય કે પછી સરબજીત સિંહ પરનો હુમલો હોય દરેક બાબતે સાબીત કર્યું છે કે કેન્દ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ છે. એક પછી એક જે બનાવો બની રહ્યાં છે તે સાબીત કરે છે કે ભારત સરકાર આપણા સત્યને અસરકારક રીતે રજૂ કરવામાં અસક્ષમ છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી સરબજીત સિંહ પર લાહોરની કોટ લખપત જેલમાં સાથી કેદીઓ દ્વારા હુમલો શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સરબજીત સિંહને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને તે ડીપ કોમામાં છે. તેને લાહોરની જિન્ના હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી








Click it and Unblock the Notifications
