Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમીન કૌભાંડમાં મોદી સરકારને ક્લિનચીટ આપતું શાહ કમિશન

Narendra Modi
ગાંધીનગર, 04 ઑક્ટોબરઃ કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે આપી દેવાના કૌભાંડનો પ્રથમ અહેવાલ જસ્ટિસ એમ.બી. શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં મોદી દ્વારા કોઇપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં નહીં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમ અધિકૃત પ્રવક્તાએ જણાવ્યું છે.

પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું છે કે, જસ્ટિસ એમ.બી. શાહ દ્વારા જે અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. તેમાં જમીન વહેંચણીમાં કોઇ ગરરીતિ કરવામાં નહીં આવી હોવાનું નોંધવામાં આવ્યું છે. " આ કમિશન દ્વારા જે વચગાળાનો અહેવાલ આપવામાં આવ્યો છે, તેમાં એ વાત જાણવા મળી છે કે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પદ્ધતિ પ્રમાણે જમીન વહેંચણી કરવામાં આવી છે અને તેમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી નથી." તેમ રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે 2011માં કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે મોદી સરકાર દ્વારા અમુક નજીકના ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનની વહેંચણી કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે. જેના જવાબમાં સરકાર દ્વારા એક વ્યક્તિની તપાસ કમિટીની રચના કરી હતી.

કોંગ્રેસ દ્વારા મોદી સરકારે ટાટા કંપનીને નેનો પ્રોજેક્ટ માટે સાણંદ નજીક જે જમીન આપી છે તેની સામે પ્રશ્નો ખડા કર્યાં હતા. શાહ કમિશન દ્વારા આ નેનો પ્રોજેક્ટ સહિત અન્ય આઠ જમીન વહેંચણીમાં પણ મોદી સરકારને ક્લિનચીટ આપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X