Shaheed Diwas 2024 : રાજભવન પરિવારે બે મિનિટનું મૌન પાળ્યું
Shaheed Diwas 2024 : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ - શહીદ દિને પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા.
સમગ્ર વિશ્વ માટે શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ પ્રશસ્ત કરનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પતાં રાજભવન પરિવાર સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા ન હતી, ત્યાં સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા, તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું હતું.
શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
