મોદી પાસે હવે કોઈ મુદ્દો નથી:સિદ્ધાર્થ પટેલ

siddharth patel
વડોદરા, 4 ડિસેમ્બર: રાજપીપળા ખાતે યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલને અહેમદમીયાં પટેલ કહી જણાવ્યું હતું કે કોંગ્રેસને અહેમદમીયાં પટેલ સીવાય કોઈ ઉમેદવાર મળતો નથી. મોદીના આ ઉચ્ચારણો સામે કોંગ્રેસી નેતાઓ રાતાપીળા થઈ ગયા છે.

વડોદરામાં આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે આ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે મોદીનો અસલી ચહેરો સામે આવી ગયો છે. મોદી પાસે ગુજરાતના લોકોને આકર્ષવા માટે કોઈ મુદ્દો નથી એટલે મોદીએ હિંદુ-મુસ્લિમની રાજનીતી શરુ કરી દીધી છે.

તેમણે જણાવ્યું કે અહેમદભાઈ પટેલને મુખ્યમંત્રી બનવામાં કોઈ રસ નથી. અહેમદભાઈનું સ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રીની ઉપર છે. એમને જો મુખ્યમંત્રી બનવાની ઈચ્છા હોત તો તેમણે પહેલા જ પોતાનું નામ પ્રોજેક્ટ કરી દીધુ હોત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X